Harmful Effects of Tea: ચા એક એવું પીણું છે જેની લત અંગ્રેજો આપણને લગાડીને ગયા છે. ચા ના કારણે આપણો ખોરાક ઓછો થઈ ગયો છે. એવામાં ઘણાં લોકોને તો દિવસમાંભરમાં ઢગલાબંધ વાર ચા પીવાની આદત હોય છે. આ આદત તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ઘણા લોકોને ચાની લત લાગી જાય છે અને તેઓ દિવસમાં 7-8 કપ ચા પીતા હોય છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. વધુ પડતી ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. દરેક વ્યક્તિએ આ વિશે જાણવું જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ કોઈ મોટા માણસો ક્યારેય નથી પીતા ચા?
શું તમે ક્યારેય કોઈ ડોક્ટરને, કોઈ જીમ ટ્રેનરને, કોઈ ફિટનેસ લવરને, કોઈ એકટરને, કોઈ મોટા રાજનેતાને ચા પીતા જોયા છે? ભાગ્યે જ તમને આવું દ્રશ્ય જોવા મળશે. તેઓ ચા ના બદલે ગ્રીન ટી કે કોઈ કાવો પીતા જોવા મળશે. પરંતુ ચા થી બધા બચે છે. ચા અંગ્રેજોએ આપણને આપેલું સૌથી મોટું દુષણ છે. જેની આપણને લત લાગી ગઈ છે. ત્યારે નિષ્ણાતોની માનીએ તો ચા મા રહેલું ઝેરી તત્ત્વ તમારા શરીરના મલ્ટીપલ ઓર્ગન્સને ભારે નુકસાન પહોંચાડે છે. 


એક-બે નહીં રોજ તમારા 36 અંગોની પથારી ફેરવે છે એક કપ ચા!
વધુ પડતી ચા પીવાને કારણે તમારા શરીરમાં અનેક તકલીફો ઉભી થઈ શકે છે. નિષ્ણાતોની માનીએ તો ચા પીવાને કારણે ગેસ, એસિડિટી, પાચનતંત્ર મંદ પડવું, કબજિયાત, અલ્સર, પેટને લગતી અન્ય ઢગલાબંધ તકલીફો, ફેટી લીવર, કીડની પ્રોબ્લેમ, યુરિનલ ડિસિઝ, આંતરડાની તકલીફ, ઈમ્યુનીટી ડાઉન થવી, માથાનો દુખાવો, અનિંદ્રા, ભૂખ ન લાગવી, ડિહાઈડ્રેશન, શરીરના હોર્મોન્સ અસંતુલિત થવું, પિમ્પલ્સ, ગ્લો ડાઉન થવો, બ્લડ પ્રેશર, ગાયનેક પ્રોબ્લેમ, આઈસાઈડને અસર, ફેફસાની તકલીફ, શ્વાસ ચઢવો, થાક લાગવો, અસ્વસ્થતા, પોષક તત્ત્વોની કમી, દાંતની સમસ્યાઓ, ચા વીના બેચૈની થવી, ઉંઘ પુરી ન થવી, હાર્ટને લગતી સમસ્યાઓ, વજનમાં વધ ઘટ થવી, શરીરમાં સુગરનું પ્રમાણ વધવું, ડાયાબિટિસ સહિતની બધી જ સમસ્યાઓ ચા પીવાથી થઈ શકે છે. ખુદ નિષ્ણાતો અનેકવાર આ વાતની કબુલાત કરી ચુક્યા છે. એટલે જ જે લોકો જાણે છે તે લોકો ક્યારેય ચા નથી પીતા. તમે પણ એકવાર જરૂર જાણી લેજો આ વાત.


ચા અંગે નો ચોંકાવનારો રિપોર્ટઃ
હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર, લોકોએ દિવસમાં ત્રણ કે ચાર કપથી વધુ ચા ન પીવી જોઈએ. જો તમે એક દિવસમાં 710 mlથી વધુ ચા પીઓ છો, તો ઘણી ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી ઘણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. ઘણા સંશોધનોમાં એ વાત પણ સામે આવી છે કે વધુ પડતી મીઠી ચા પીવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, લીવર ડિસિઝ સહિત અનેક ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં તમામ લોકોએ ધ્યાનથી ચાનું સેવન કરવું જોઈએ અને વધુ પડતા સેવનથી બચવું જોઈએ કારણકે આવી બેદરકારી ખૂબ મોંઘી પડી શકે છે.


વધુ પડતી ચા પીવાથી કઈ-કઈ ગંભીર તકલીફો થાય છે?


પોષક તત્ત્વોની કમી-
જો તમે આયર્નની ઉણપથી પણ પરેશાન છો તો તમારે વધુ ચા પીવાનું ટાળવું જોઈએ. ચામાં રહેલા ઘટકો આયર્નનું શોષણ ઘટાડે છે અને આ જરૂરી પોષક તત્વોની ઉણપ તરફ દોરી શકે છે. આવા લોકોએ તરત જ ચાથી દૂર રહેવું જોઈએ. 


બ્લડ પ્રેશર-
જો તમને હાઈ બ્લડ પ્રેશર હોય તો વધુ પડતી ચા પીવાનું ટાળો. આ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે.


ગાયનેક પ્રોબ્લેમ-
વધુ પડતી ચા નું સેવન કરવાથી પીરીયડ્સમાં પ્રોબ્લેમ થઈ શકે છે. આ ઉપરાંત કેટલીક ગાયનેક સમસ્યાઓ થઈ શકે છે.


એસિડિટી-
એસિડિટી વધુ માત્રામાં ચા પીવાથી પેટ ફૂલી શકે છે. તેમાં કેફીન જોવા મળે છે, જે એસિડિટીની સમસ્યાનું કારણ બને છે. પેટ ખરાબ થઈ જવું.


માથાનો દુખાવો-
ચામાં કેફીન ભરપૂર માત્રામાં હોય છે. કેફીનના વધુ પડતા સેવનથી માથાનો દુખાવો, તણાવ અને ચિંતામાં વધારો થઈ શકે છે. વધુ પડતી ચા પીવાથી ઘભરામણ પણ થઈ શકે છે. એવું પણ કહી શકાય કે આનાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.


આંતરડા માટે ખરાબ-
વધુ પડતી ચા પીવાથી આંતરડામાં તકલીફ થઈ શકે છે. જેના કારણે ખોરાક પચવામાં સમસ્યા થઈ શકે છે.


સગર્ભા માટે જોખમી છે ચા-
સગર્ભા સ્ત્રીઓ માટે ચાનું વધુ પડતું સેવન અત્યંત જોખમી બની શકે છે. કેફીનનું વધુ પડતું સેવન ગર્ભાવસ્થામાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે. આ ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસને પણ અસર કરે છે.


ડિહાઇડ્રેશન-
વધુ પડતી ચા પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે. તેમાં રહેલું કેફીન પાણીને શોષી લે છે.


અનિદ્રા-
જો તમે વધુ પડતી ચા પીતા હોવ તો તમને અનિદ્રા થઈ શકે છે. જેના કારણે તણાવ અને ત્વચાની સમસ્યા થઈ શકે છે.


અસ્વસ્થતા-
વધુ માત્રામાં ચા પીવાથી પરેશાની થઈ શકે છે કારણ કે તેમાં ટેનીન હોય છે, જે તમારી સમસ્યાનું કારણ બને છે.


પિમ્પલ્સ-
ચાના વધુ પડતા સેવનથી શરીરના હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, જેના કારણે ખીલ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ શરૂ થાય છે.


દાંતની સમસ્યાઓ-
ચાના વધુ પડતા સેવનથી પોલાણ અને દાંત પીળા પડી શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)