નવી દિલ્હી: શરીરની પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટીને વધારવામાં ગિલોય ખૂબ કારગર થાય છે. આ તમને ઘણા રોગો સામે લડવાની ક્ષમતા પુરી પાડે છે. કોરોના વાયરસથી બચવા માટે તમારી અંદર ઇમ્યુનિટી હોવી જરૂરી છે. એટલા માટે જરૂરી છે કે દરરોજ તમે નિશ્વિત માત્રામાં ગિલોયનું સેવન કરો. ગિલોયના જ્યૂસનું નિયમિત સેવન કરીને તાવ, ફ્લૂ, ડેન્ગ્યૂ, મલેરિયા, પેટમાં કીડાની સમસ્યા, લોહીમાં ખરાબી, લો બ્લડ પ્રેશર, હાર્ટની બિમારીઓ, ટીબી, પેટના રોગો, ડાયાબિટીસ અને સ્કીનની બિમારીઓમાંથી રાહત મળી શકે છે. ગિલોય ભૂખ વધારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રોગોમાં ફાયદાકારક


- ડાયાબિટીઝના એવા દર્દી જેમને ટાઇપ-2 ડાયાબિટીઝની સમસ્યા છે,તેમને ગિલોયના સેવનથી ખૂબ ફાયદો થશે. 


- ગિલોયના નિયમિત સેવનથી રમૂમેટાઇડ આર્થરાઇટિસમાં રાહત મળે છે. 


-વારંવાર બિમાર પડો છો, તો તેનો અર્થ એ છે કે તમારી ઇમ્યૂનિટી નબળી છે. ગિલોય હેલ્ધી કોશિકાઓને મેન્ટેન કરે છે અને શરીરને નુકસાન પહોંચાડનાર ફ્રી રેડિકલ્સથી લડીને ઇમ્યૂનિટીને વધારે છે. 


- ગિલોય સ્ટ્રેટ લેવલને પણ ઓછો કરવામાં કારગર છે. 


- એવા લોકો જેમને Chronic Fever છે. તેમના માટે ગિલોય એકદમ ફાયદાકારક હોય છે. આ બ્લડ પ્લેટલેટ્સને વધારવા અને જીવલેણ બિમારીઓ સાથે લડવામાં મદદ કરે છે. ગિલોયમાં એન્ટી-ઇંફ્લેમેટ્રી ગુણ જોવા મળે છે. 


- ગિલોય અસ્થમાને ઠીક રે છે. અસ્થમાના રોગીઓ માટે ગિલોયના મૂળીયા ચાવવાની સલાહ આપવામાં આવે છે. 


- શ્વાસ સંબંધિત જોડાયેલી સમસ્યાઓ જેમ કે શરદી, ખાંસી, ટોન્સિલ, કફ વગેરે ગિલોયના સેવનથી સરળતાથી ઠીક થઇ શકે છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube