Unhealthy Breakfast: મોટાભાગના લોકો પોતાના દિવસની શરુઆત ચા સાથે કરે છે. સવારે ચા પીધા પછી થોડા સમયમાં લોકો ભરપેટ નાસ્તો કરે છે. સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે તમે નિયમિત સવારે નાસ્તો કરો. પરંતુ નાસ્તો નિયમિત કરવા છતા ઘણા લોકો સ્વસ્થ હોતા નથી. આમ થવાનું કારણ હોય છે નાસ્તામાં ખવાતી કેટલીક વસ્તુઓ. દિવસભર કામ કરવાની એનર્જી શરીરને સવારના નાસ્તાથી મળે છે. તેથી જરૂરી છે કે સવારનો નાસ્તો હેલ્ધી હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારના નાસ્તામાં એવા ખોરાકને સામેલ કરો જે તમને ફિટ રાખી શકે. પરંતુ જો તમે નાસ્તામાં કેટલીક અનહેલ્ધી ફૂડ આઈટમ્સને લેવાનું રાખો છો તો તેનાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે. આજે તમને જણાવીએ કે તમારે દિવસની શરૂઆતમાં કયો ખોરાક બિલકુલ ન ખાવો જોઈએ. 


આ પણ વાંચો: ઊંઘ સંબંધિત આ 3 ભુલ વધારે બ્લડ પ્રેશર, વધી જાય છે હાર્ટ એટેકથી મોતનું જોખમ


પેનકેક


જો તમે સવારના નાસ્તામાં પેનકેક ખાતા હોય તો સમજી લો કે તમારું સ્વાસ્થ્ય કોઈપમ સમયે બગડી શકે છે.  પેનકેક અને વેફર્સ અનહેલ્ધી નાસ્તામાંથી એક છે. તે ઝડપથી બને છે અને સ્વાદિષ્ટ હોય છે અને મોટાભાગના લોકો તેને નાસ્તામાં ખાવાનું પસંદ કરે છે. પરંતુ નાસ્તા માટે આ સારો વિકલ્પ નથી. તેનાથી તમારી એનર્જી ઘટી શકે છે.


આ પણ વાંચો: 4 ગંભીર બીમારીના સંકેત દેખાય છે ત્વચા પર, જોવા મળે તો સમજી લેજો તમે છો બીમાર


ચા


મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે. પરંતુ સવારે ખાલી પેટ ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી નથી. સવારે ચા પીવાની આદતથી પાચનની સમસ્યા થઈ શકે છે. જો કે તમે ઈચ્છો તો સવારની ચા સાથે થોડો નાસ્તો ખાઈ શકો છો. પરંતુ સવારે ખાલી પેટ ચા ન પીવી. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તેનાથી બ્લડ સુગર પણ વધી શકે છે.


આ પણ વાંચો: Health Tips: જમ્યા પછી તુરંત ન કરવા આ 5 કામ, શરીરને થાય છે ગંભીર નુકસાન


નાસ્તામાં સીરિયલ


નાસ્તામાં ક્યારેય સીરિયલ સામેલ ન કરો. મોટાભાગના લોકો તેને હેલ્ધી ઓપ્શન માને છે. પરંતુ સીરિયલમાં ખાંડની વધુ માત્રા અને તેમાં રહેલું ફાઇબરની પાચન સહિતની શરીરની ક્રિયાઓમાં ગડબડ કરી શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો: વજન ઘટાડવાથી લઈને અનેક લાભ કરે છે બથુવાની ભાજી, શિયાળામાં ખાવી અચૂક