Home Remedies for Dandruff: વાળમાં ડેન્ડ્રફ હોય તે એક સામાન્ય સમસ્યા છે. જો લાંબા સમય સુધી ડેન્ડ્રફનો ઈલાજ કરવામાં ન આવે તો માથામાં સતત ખંજવાળ અને બળતરા પણ થવા લાગે છે. વાળમાં ડેન્ડ્રફ થવાનું મુખ્ય કારણ વાળમાં ગંદકી હોય છે. એટલે કે નિયમિત રીતે વાળ ધોવાતા ન હોય અથવા તો યોગ્ય રીતે સાફ થતા ન હોય તો તેના કારણે ડેન્ડ્રફ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ચોખામાં આખું વર્ષ નહીં પડે ધનેડા, સ્ટોર કરતી વખતે સાથે રાખી દેજો આમાંથી કોઈ એક વસ્તુ


ડેન્ડ્રફને દૂર કરવા માટે માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ મળે છે. જોકે આ પ્રોડક્ટ કિંમતમાં મોંઘી પણ હોય છે. તેથી દરેક વ્યક્તિને વારંવાર તેનો ઉપયોગ કરવો પરવળે તેમ ન પણ હોય. તેવામાં તમે કેટલાક ઘરેલુ ઉપાય કરીને ઓછા ખર્ચે પણ ડેન્ડ્રફથી મુક્તિ મેળવી શકો છો. આજે તમને આવા જ કેટલાક ઘરેલુ ઈલાજ જણાવીએ જેને કરવામાં તમને 10 થી 20 રૂપિયાનો ખર્ચ થશે અને તમે ડેન્ડ્રફ થી મુક્ત થઈ જશો. 
 
ડેન્ડ્રફ દુર કરવાના ઘરેલુ નુસખા


આ પણ વાંચો: આ રીતે વાળમાં ગ્લિસરીનનો કરો ઉપયોગ, ટ્રીટમેન્ટ વિના વાળ થશે મજબૂત, શાઈની અને સ્મુધ


લીંબુ અને દહીં


દહીમાં એન્ટીફંગલ ગુણ હોય છે જે વાળમાં ઉત્પન્ન કરતી ફંગસને મટાડે છે. સાથે જ લીંબુ નેચરલ કન્ડિશનરનું કામ કરે છે તેનાથી વાળમાં ચમક પણ આવે છે. દહીમાં લીંબુ ઉમેરીને વાળમાં લગાડવાથી દૂર પણ થાય છે અને વાળ સોફ્ટ બને છે.


નાળિયેર તેલ


નાળિયેર તેલ નેચરલ મોસ્ચ્યુરાઈઝર છે જે વાળને હાઇડ્રેટ રાખે છે અને ડેન્ડ્રફ દૂર કરે છે. જે લોકોને હોય તેમણે વાળ ધોતા પહેલા નાળિયેર તેલ થી માલિશ કરવી અને પછી હેર વોશ કરવા.


આ પણ વાંચો: પેટની ચરબી ઝડપથી ઉતારવી હોય તો બસ આ 3 ટીપ્સ ફોલો કરો, 15 દિવસમાં દેખાશે રિઝલ્ટ


એલોવેરા જેલ


ઉનાળાના દિવસોમાં એલોવેરા જેલ માથાને ઠંડક આપે છે અને સાથે જ બળતરા પણ દૂર કરે છે. તેમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ડેન્ડ્રફને પણ દૂર કરવામાં મદદ કરે છે.


દહીં અને મેથી


દહીં અને મેથીનું મિશ્રણ પણ સ્કેલ્પને સાફ કરે છે અને નેચરલી ડેન્ડ્રફ દૂર કરે છે. તેના માટે મેથીને રાત્રે પાણીમાં પલાળી સવારે તેની પેસ્ટ બનાવી દહીં સાથે મિક્સ કરી વાળના મૂળમાં લગાડો. એક કલાક પછી હેર વોશ કરી લો. 


આ પણ વાંચો: Skin Care: કોણી અને ઘૂંટણ કાળા થઈ ગયા છે? આ ઘરગથ્થુ વસ્તુઓનો વાપરો 7 દિવસ થશે અસર


વિનેગર


વિનેગર સ્કેલ્પના પીએચને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેના કારણે ડેન્ડ્રફ ધીરે ધીરે ઘટવા લાગે છે. વિનેગરનો ઉપયોગ કરવાથી સ્કેલ્પ પર જામેલી ડેડ સ્કીન પણ દૂર થવા લાગે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)