Relationship Advice: કહેવાય છે કે, સંબંધ બનાવવો જેટલો સરળ છે એટલું જ તેને નિભાવવો મુશ્કેલ છે. ત્યારે નાનામાં નાની બેદરકારી તમારો સંબંધ તોડી શકે છે. ઘણી વખત આપણે આપણી લાઇફમાં એટલા વ્યસ્ત રહી છીએ કે, તમારી આસપાસ થઈ રહેલા બદલાવને આપણે જોઈ શકતા નથી. જેના કારણે તમારો સંબંધ તૂટવા પર આવી જાય છે. જો તમે તમારો તૂટવા આવેલો સંબંધ બચાવવા માંગો છો તો તમારે પહેલા તેના કારણો જાણવા પડશે કે, જેના કારણે તમારા બંને વચ્ચે અંતર વધી રહ્યું છે. જોકે, આ અંગે અમે તમને અહીં કેટલીક માહિતી જણાવી રહ્યા છીએ જેને નજરઅંદાજ કરવી જોઇએ નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારા સાથીનું વલણ સમજો
કોઈપણ વ્યક્તિમાં એકદમ બદલાવ આવતો નથી. એવામાં પાર્ટનરના શારીરિક સંકેતોને સમજવાની તમારી ફરજ છે. સૌથી પહેલા તમે સમજવાનો પ્રયાસ કરો તે તમારા પાર્ટનરમાં પહેલાની સરખામણીએ કેવા પ્રકારના બદલાવ જોવા મળી રહ્યા છે. શું તમારા પાર્ટનરના હાવભાવમાં કંઈક અટપટા લાગી રહ્યા છે? શું તમારું પાર્ટનર પહેલાની જેમ તમારી પર ધ્યાન આપી રહ્યું નથી? આ ઉપરાંત ઘણી વાતો પર ધ્યાન આપવાની જરૂર છે. જો તમને આ તમામ પ્રકારના બદલાવ તમારા પાર્ટનરમાં જોવા મળી રહ્યા છે તો તમારો સંબંધ તૂટી શકે છે. તેથી તમારે તમારા સંબંધ પર ધ્યાન આપવાની જરૂર છે.


આ પણ વાંચો:- પત્નીને છૂટાછેડા આપવા સિંગરને પડ્યા મોંઘા, હની સિંહને ચૂકવવા પડ્યા આટલા કરોડ રૂપિયા


શું તમારા વચ્ચે પ્રેમ ખતમ થઈ ગયો?
ક્યારેક કપલ વચ્ચે પ્રેમ અને લાગણીઓના અભાવને કારણે પણ અંતર વધવા લાગે છે. જો તમને તમારા પાર્ટનર તરફથી પ્રેમનો અનુભવ થઈ રહ્યો નથી તો આ એક પ્રકારના ખતરાનું સંકેત છે. ત્યારે તમારા સંબંધને બચાવવા માટે તમે તમારા પાર્ટનર સાથે થોડા દિવસ બહાર ફરવા જતા રહો અને તેમની સાથે એકલામાં થોડો સમય વિતાવો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube