Benefits of Intermittent Fasting: આજકાલ મોટાભાગના લોકો સ્થૂળતા અને કેન્સરનો શિકાર બની રહ્યા છે. જેનું સૌથી મહત્વનું કારણ ખાવાની આદતો છે. વધુ પડતો ખોરાક ખાવાથી અને કસરત ન કરવાને કારણે લોકો સ્થૂળ થતા જાય છે  અને જીવલેણ રોગની ચપેટમાં આવી જાય છે. થોડા થોડા સમયે ખાવું એ એક એવી રીત છે જેના દ્વારા તમે સ્થૂળતાને દૂર રાખી શકો છો અને કેન્સરનું જોખમ પણ ઘટાડી શકો છો. આ પદ્ધતિનો હેતુ થોડા દિવસો માટે કેલરીનો વપરાશ ઘટાડવાનો છે. જે વજન ઘટાડવા અને અન્ય સ્વાસ્થ્ય લાભો તરફ દોરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Intermittent Fasting:
16:8 નિયમ: આ પદ્ધતિમાં વ્યક્તિ 16 કલાક ભૂખ્યો રહે છે અને તેને 8 કલાકના સમયગાળામાં ખાવા-પીવાની છૂટ છે.
5:2 આહાર: આ પદ્ધતિમાં વ્યક્તિ સામાન્ય રીતે પાંચ દિવસ ખાય છે અને પછી બે દિવસ માટે કેલરીના વપરાશને 500-600 સુધી મર્યાદિત કરે છે.
દર બીજા દિવસે ઉપવાસ: તેમાં દર બીજા દિવસે ઉપવાસનો સમાવેશ થાય છે, જેમાં વ્યક્તિ ખોરાક માટે કોઈ કેલરી લેતો નથી.


ઉપવાસ એ વજન ઘટાડવા, મગજને શાંત અને મજબૂત બનાવવા અને હૃદયની તંદુરસ્તી માટે અતિ લાભદાયી છે. જો કે, કોઈ પણ નવો આહાર અથવા ખાવાની પદ્ધતિ બદલતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જો તમને કોઈ બિમારી હોય કે તમે દવાઓ લેતા હો તો.


નિયમ 16:8-
16:8 ડાયેટિંગ રેજીમેન દરમિયાન માત્ર પાણી, કોફી અને અન્ય કેલરી ફ્રી પીણાં પી શકાય છે. ભોજનનો સમય સામાન્ય રીતે બપોરની આસપાસ શરૂ થાય છે અને રાત્રે 8 વાગ્યા સુધીમાં સમાપ્ત થાય છે. 


રાત્રે ન ખાવાના ફાયદા-
ડિનર સ્કિપિંગ એ હેલ્થ અને ફિટનેસની દુનિયામાં એક લોકપ્રિય ટ્રેન્ડ બની ગયો છે. યોગ ગુરુ અને લેખક સદગુરુ જગ્ગી વાસુદેવ, ઈશા ફાઉન્ડેશનના સ્થાપક પણ એ વાતનું સમર્થન કરે છે કે વ્યક્તિએ રાત્રે ન ખાવું જોઈએ. આવો જાણીએ રાત્રે ભોજન કરવાથી શું ફાયદા થાય છે.


સારું પાચન:
રાત્રિભોજન ન કરવાથી પાચન તંત્રને ખૂબ જ જરૂરી વિરામ મળી શકે છે, કારણ કે શરીર ખોરાક પર પ્રક્રિયા કરવાને બદલે પોતાની જાતને સુધારવા અને કાયાકલ્પ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.


સારી ઊંઘ:
મોડી રાત્રે ભારે ભોજન લેવાથી તમારી ઊંઘની પેટર્નમાં ખલેલ પડી શકે છે. રાત્રિભોજન છોડવાથી તમારા શરીરને વધુ સરળતાથી આરામ કરવામાં અને સારી ઊંઘને ​​પ્રોત્સાહન આપવામાં મદદ મળી શકે છે.


વજન ઘટાડવું:
જ્યાં સુધી તમે તમારા અન્ય ભોજન દરમિયાન પૌષ્ટિક ખોરાક લેતા હો ત્યાં સુધી રાત્રિભોજન છોડીને કેલરી ઘટાડવાથી વજન ઘટાડવાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે.


મેટાબોલિઝમ બૂસ્ટ:
રાત્રિભોજન છોડવાથી તમારા શરીરના ચયાપચયને વેગ મળે છે, જેનાથી કેલરી બર્ન થાય છે અને એકંદર આરોગ્ય વધુ સારું રહે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)