What To Do On Dog Bite: ઉનાળામાં કૂતરું કરડવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ઉનાળાને કારણે કૂતરાઓ વધુ આક્રમક બની જાય છે. ભૂખ અને તરસ વગેરેને કારણે ગુસ્સાની વૃત્તિથી કૂતરાઓ લોકોને કરડવાની કોશિશ કરે છે. માટે રસ્તાઓ પર થોડી સાવધાની જરૂરી છે. કૂતરાઓ ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોની પાછળ પડતા હોય છે અને એમને ખાસ સાવચેત રહેવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૂતરું કરડે તો આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન-
ઘણા કિસ્સાઓ હોસ્પિટલમાં આવે છે જેને પાલતુ કૂતરાઓ કરડ્યા હોય. એટલા માટે પાલતુ કૂતરાઓનું સમયસર રસીકરણ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી કરડવાથી ચેપ ન ફેલાય. જો કોઈ કૂતરો કરડે તો તેને પહેલા સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ પછી હોસ્પિટલ જઈ તબીબી સારવાર લેવી જરૂરી છે. 


પીડિતને ચાર ઇન્જેક્શન આપવામાં આવે છે. જેમાં પ્રથમ દિવસે, ત્રીજા દિવસે, સાતમા દિવસે અને 14મા દિવસે હડકવાની રસી લગાવવામાં આવે છે. આ રસી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી ચેપ ન ફેલાય.


જો કૂતરું કરડે તો તરત જ કરો આ ઉપાય:


- સૌપ્રથમ હળવા સાબુનો ઉપયોગ કરીને ઘાને ધોઈ લો અને તેના પર પાંચથી 10 મિનિટ સુધી ગરમ પાણી રેડો.


- સ્વચ્છ કપડાથી રક્તસ્ત્રાવ ધીમો કરો.


- જો તમારી પાસે હોય તો એન્ટિબાયોટિક ક્રીમ લગાવો.


- પટ્ટી વડે ઘાને લપેટી લો.


- ઘા પર પાટો બાંધી ડૉક્ટરને બતાવવું ખુબ જ જરૂરી છે.