દેશના આ મંદિર છે વિદેશી પર્યટન સ્થળ કરતાં પણ વધારે સુંદર, દરેક ભારતીયે એકવાર તો લેવી જ જોઈએ મુલાકાત

Mon, 12 Jun 2023-12:39 pm,

મધ્યપ્રદેશનું ખજુરાહોનું મંદિર તેની સુંદરતા માટે વિશ્વપ્રસિદ્ધ છે. આ મંદિરનું નિર્માણ 900 થી 1130 એડી વચ્ચે થયું હતું.. ખજુરાહોના મંદિર જોવા દુનિયાભરમાંથી લોકો ભારત આવે છે.

તમિલનાડુના શોર ટેમ્પલ કોમ્પ્લેક્સમાં ઘણા મંદિરો આવેલા છે. અહીંથી બંગાળની ખાડી પણ જોઈ શકાય છે. આ મંદિર 8મી સદીમાં બનેલા છે.

તમિલનાડુમાં આવેલું આ મંદિર સૌથી રંગીન છે. આ મંદિર મદુરાઈમાં આવેલું છે. આ મંદિરની સુંદરતા કોઈપણ વ્યક્તિને મંત્રમુગ્ધ કરી શકે છે. અહીં વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવે છે. 

કેદારનાથના દર્શન કરવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે.  ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક એવું કેદારનાથ ધામ હિમાલયના સુંદર પર્વતો વચ્ચે છે. અહીં સુધી જવાનો રસ્તો અદ્ભુત અનુભવ કરાવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link