ભૂપેન્દ્ર પટેલ સહિત અંબાજી પહોંચ્યું આખું મંત્રીમંડળ, PHOTOs માં જુઓ કેવો સર્જાયો ભક્તિમય માહોલ?

Thu, 15 Feb 2024-8:34 pm,

પરિક્રમા પથ પર આવતા વિવિધ મંદિરોમાં દર્શન કરવાની સાથે માની ભક્તિમાં પણ મસ્ત થઈ ગયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ તો એક ભજન મંડળીમાં બેસી મંજિરા અને હારમોનિયમ તથા ઢોલક પર હાથ અજમાવ્યો હતો. તો ઝી 24 કલાક સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે પરિક્રમા મહોત્સવના મહત્વ અને સરકારની શ્રધ્ધા વિશે વાતો કરી હતી.

માનો જય જયકાર કરીને માઈભક્તો ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતની આખી સરકાર માના ધામમાં પહોંચી. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના તમામ સભ્યો અને ભાજપના ધારાસભ્યો બસમાં સવાર થઈને અંબાજી પહોંચ્યા હતા. તો મુખ્યમંત્રી વિશેષ હેલિકોપ્ટરથી અંબાજી પહોંચી સૌથી પહેલા અંબાજી મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે મા અંબાની આરતી ઉતારી હતી.

ગાંધીનગરથી ખાસ બસમાં તમામ મંત્રીઓ અને ભાજપના ધારાસભ્યો અંબાજી પહોંચ્યા હતા. બસની અંદર મંત્રીઓ અને ધારાસભ્યોએ મા અંબાનો જય જયકાર કર્યો હતો. બોલ મારી અંબે જય જય અંબેનો જયઘોષ કર્યો હતો. જેના કારણે બસની અંદર જ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. બસમાં સવાર મંત્રી અંબાજીમાં ઉતર્યા બાદ સીધા ગબ્બર પહોંચ્યા હતા. અને ત્યાં પગપાળા 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link