વીજળીથી વરસાદનો વરતારો! ત્રણ દિવસમાં આકાશમાં આ ચિહ્ન ના દેખાયા તો વેર વાળશે વરૂણ દેવ

Sat, 24 Jun 2023-4:13 pm,

અષાઢ સુદ બીજ અને નોમને દિવસે સોમ, ગુરુ કે શુકવાર હોય તો પુષ્કર વરસાદ થાય. બુધવાર હોય તો મધ્યમ વરસાદ, રવિવાર હોય તો તાવનો રોગવાળો ફેલાય, મંગળવાર હોય તો વરસાદનો અભાવ અને શનિવાર હોય તો દુષ્કાળ પડે.

અષાઢ સુદ પાંચમે વિજળી ઝબુકે તો સુંદર ચોમાસુ સમજવું, જો તે દિવસે વાદળ વિજળી કંઇ ન થાય તો ચોમાસુ નિષ્ફળ સમજવું. 

અષાઢ સુદ સાતમે આકાશમાં ચંદ્ર વાદળા વિનાનો નિર્મળ હોય તો પણ અનાવૃષ્ટિ સમજવી.

અષાઢ સુદ નોમ ગાજે પણ વરસે નહીં તો પણ અનાવૃષ્ટિ સમજવી. તે દિવસે સૂર્ય નિર્મળ હોય અને પૂર્ણ પ્રકાશિત હોય તો સારો વરસાદ સમજવો. રાત્રે ચંદ્ર આકાશમાં વાદળામાં છુપાએલો રહે તો પણ સારો વરસાદ સમજવો.

જન્માષ્ટમી શનિ, રવિ કે મંગળવારે હોય તો અછત પરિસ્થિતિ થાય.  

અષાઢ શુક્લ પક્ષમાં બુધનો ઉદય થાય અને શ્રાવણમાં (વદી પક્ષમાં) શુક્રનો અસ્ત થાય તો દુષ્કાળ પડે.

અષાઢી પૂનમે ચંદ્ર વાદળામાં દેખાય નહી તો ચોમાસામાં સારો વરસાદ થાય. તેને બદલે આ ચંદ્ર ચોખ્ખો વાદળા વગરનો દેખાય તો દુષ્કાળ થાય. અષાઢી પૂનમે ગાજવીજ વરસાદ થાય તે સારા ચોમાસાની નિશાની છે.

અષાઢ મહિનામાં ચંદ્ર નક્ષત્રો – ચિત્રા, સ્વાતિ કે વિશાખામાં વરસાદ થાય તો ચોમાસુ સારુ જાય. તેને બદલે જો આ ત્રણેય નક્ષત્રો વરસાદ વગરનાં રહે તો સ્થળાંતર કરવું પડે તેવો દુષ્કાળ આવે.

અષાઢી પૂનમને દિવસે વાદળ હોય અને સાંજે પૂર્વ, ઉત્તર કે ઇશાનનો પવન ફુંકાતો હોય તો સારું ચોમાસુ થાય. દક્ષિણ કે પશ્ચિમનો પવન હોય તો મધ્યમ ચોમાસુ થાય. નૈઋત્ય કે અગ્નિ દિશાનો પવન હોય તો નબળું ચોમાસુ જાણવું.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link