અમદાવાદમાં આ જગ્યાએ ખાતા પહેલા ધ્યાન રાખજો, ભેળસેળ કરનારા 13 એકમો વિરુદ્ધ AMCએ કરી કાર્યવાહી

Mon, 05 Jun 2023-7:38 pm,

એએમસી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં રાજેશ દાળવડા, નાગર દાળવડા, ઈટાલીયોઝ પીઝા. જય ભવાની છોલે ભટુરે, આશાપુરા ભોજનાલય, અંબિકા ભાજી પાઉં, ન્યૂ રાયપુર ભજીયા હાઉસ સહિત અનેક એકમોને સીલ કરવામાં આવ્યા છે. 

પૂર્વ ઝોનમાં રાજેશ દાળવડામાંથી 22 કિલો અને નાગર દાળવડામાંથી કુલ 18કિલો ખોરાકનો નાશ કરાયો છે. 

તો પશ્ચિમ ઝોનમાં ઇટાલીયોઝ પીઝા, લો ગાર્ડન પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 25 કિલો બિનઆરોગ્યપદ ખોરાક મળી આવ્યો હતો.   

તો નવરંગપુરામાં આવેલા જય ભવાની છોલે ભટુરે પર કાર્યવાહી કરતા 75 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. 

ઉત્તર ઝોનમાં આવેલા આશાપુરા ભોજનાલયમાંથી કોર્પોરેશનને 14 કિલો બિનઆરોગ્યપ્રદ પદાર્થ મળી આવ્યો છે. 

અંબિકા ભાજી પાંઉ, સરસપુરમાંથી 15 કિલો જથ્થાનો નાથ કરાયો છે. 

નારોલ ઓફિસ પાછળ લાંભામાં આવેલા અબુંદા ચવાણા એન્ડ સ્વીટ માર્ટમાંથી 120 કિલો ખરાબ ખોરાક મળી આવ્યો છે. 

આ સિવાય ક્રિષ્ના ફુટ સેન્ટર, ચાંદલોડિયા, આશાપુરા ભોજનાલય, ગોતા, બાલાજી ચાયનીઝ ફુડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 

કર્ણાવતી દાબેલી, સરખેજ ગામ અને ન્યુ રાયપુર ભજીયા, સાળંગપુર દરવાજા, સામે પણ મહાનગર પાલિકાએ કાર્યવાહી કરી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link