જેના ઘરમાં આ 5 તસવીરો હોય તેને પૈસા કમાવવાની નથી પડતી જરૂર, સામેથી આવે છે ધનનો ઢગલો

Sun, 02 Jun 2024-2:25 pm,

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં 7 ઘોડાનું ચિત્ર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે એટલું જ નહીં પણ તેના સભ્યો માટે પ્રગતિનો માર્ગ પણ ખુલે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ચિત્રને ઉત્તર દિશામાં લગાવવું ફળદાયી માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હંસનું ચિત્ર લગાવવાથી ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ચિત્રને ઘરના બેડરૂમમાં રાખવું ફાયદાકારક માનવામાં આવે છે. આનાથી પરસ્પર સંબંધો પણ મજબૂત બને છે.

હિન્દુ ધર્મમાં કમળના ફૂલનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર કમળના ફૂલનું ચિત્ર લગાવવું શુભ માનવામાં આવે છે. આના કારણે ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે અને કોઈ આર્થિક સમસ્યા થતી નથી.

ઝરણા એટલેકે, પાણીના ધોધનું ચિત્ર, પેઈન્ટિંગ કે ફોટો ઘરમાં રાખવાથી ખાસ લાભ થાય છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. આ પ્રગતિ અને નાણાકીય લાભના દરવાજા ખોલે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ચિત્રને પૂર્વ, ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરનું ચિત્ર દોરવાથી સકારાત્મકતા જળવાઈ રહે છે અને પરસ્પર સંબંધોમાં મધુરતા આવે છે. આ ચિત્ર ઉત્તર દિશામાં લગાવી શકાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link