ફોન ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ 5 ભૂલો, ખરાબ થઈ શકે છે બેટરી લાઈફ

Tue, 17 Sep 2024-6:23 pm,

ચાર્જ કરતી વખતે સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. આ એક મોટી ભૂલ છે. આમ કરવાથી ફોન વધુ ગરમ થઈ શકે છે અને બેટરી ફાટી શકે છે. 

ઘણી વખત લોકો ફોન ચાર્જ કરવા માટે કોઈપણ ચાર્જરનો ઉપયોગ કરે છે. પરંતુ, હંમેશા તમારા સ્માર્ટફોન સાથે આવેલા ઓરિજિનલ ચાર્જરનો ઉપયોગ કરો. ખરાબ અથવા નકલી ચાર્જર ફોનને નુકસાન પહોંચાડી શકે છે. 

સ્માર્ટફોનને ગરમ જગ્યાએ રાખીને ચાર્જ કરવાથી ઓવરહિટીંગ થઈ શકે છે. સીધા સૂર્યપ્રકાશમાં અથવા ગરમ જગ્યાએ ફોનને ચાર્જ કરશો નહીં. તેનાથી બેટરીની લાઈફ ઘટી શકે છે અને ફોન પણ ડેમેજ થઈ શકે છે.

ધ્યાન રાખો કે સ્માર્ટફોન સંપૂર્ણ ચાર્જ થયેલો હોવો જોઈએ. ફોનને અડધો ચાર્જ કરીને વારંવાર ઉપયોગ કરવાનું ટાળો. આમ કરવાથી બેટરી લાઈફ ઓછી થઈ જાય છે. 

ઘણી વખત લોકો અકસ્માતે તેમના સ્માર્ટફોનને ઓવરચાર્જ કરી દે છે. લોકો રાતોરાત ફોન ચાર્જ કરવાનું ભૂલી જાય છે. આવું કરવાથી બચો. ઓવરચાર્જિંગ બેટરીને નુકસાન પહોંચાડી શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link