પાક આવો હોય, તો ખેડૂતના નસીબમાં રોદણા રોવાનો જ વારો આવે ને...

Fri, 04 Sep 2020-3:36 pm,

સમગ્ર ગુજરાતમાં મેઘતાંડવના કારણે ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, ઘણા જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. જેના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં પણ ખેતરોમાં આવા જ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘોઘા તાલુકાના છાયા, મોરચંદ, ભવાનપુર, ઓદરકા, પીથલપુર, વાવડી સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.   

અહીં ખેડૂતોએ ભારે મહેનતથી વાવેલ ઉભા પાકો પર પાણી ફરી વળ્યું છે, અને ખેડૂતોનો ઉભો પાક ખેતરો માં જ ઊગી નીકળ્યો છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે ખેડૂતોના મુખે આવેલો કોળીયો ઝૂંટવાઇ ગયો, તેમજ મોરચંદ ગામમાં ખરીફ પાક માટે ખેડૂતોએ વિવિધ બેંક પાસેથી પાક ધિરાણ મેળવી ખેતી કરી હતી ત્યારે આ વર્ષે અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતા પાક ધિરાણની ભરપાઇ કેવી રીતે કરવી તે માટે ખેડૂતો ચિંતિત બન્યા છે.  

રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘોઘા તાલુકાના ગામોમાં જ્યાં આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. એક તરફ કોરોના મહામારીના કારણે ખેડૂતોને પાક વેચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ખેડૂતોએ વાવેલા પાક ઉપર પાણી ફરી વળતા ખેડૂતો ફરી ચિંતીત બન્યા છે, ખેડૂતોનો આક્ષેપ છે કે પાક વિમો પૂરતો લેવામાં આવે છે પરંતુ સર્વે એક પણ વાર કરવામાં આવતો નથી અને ખેડૂતોને યોગ્ય વળતર પણ આપવામાં આવતું નથી ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા આ ગામોમાં  તાત્કાલીક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link