Diabetes: ડાયાબિટીસ હોય તો સવારે ખાલી પેટ પાણીમાં પલાળેલી આ 5 વસ્તુઓ ખાવી, આખો દિવસ બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Fri, 02 Aug 2024-12:13 pm,

ડાયાબિટીસમાં દર્દીઓ માટે સૂકી મેથી ફાયદાકારક છે. રાત્રે પાણીમાં પલાળી સવારે આ મેથી ખાઈ લેવાથી બ્લજ સુગર લેવલ કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. 

ડાયાબિટીસના દર્દીઓ માટે ચિયા સીડ પણ ફાયદાકારક સાબિત થાય છે. જો આખો દિવસ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું હોય તો સવારે પાણીમાં પલાળેલા ચિયા સિડ્સ ખાઈ લેવા. 

તજ એવો મસાલો છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તજનું સેવન કરવાથી ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધરે છે. તજનું સેવન સવારે કરી લેવાથી બ્લડ સુગર સ્પાઇક થતું અટકે છે. સવારે ખાલી પેટ તજનું પાણી અથવા તો પાણીમાં પલાળેલું તજ ખાઈ લેવું. 

જીરું પણ ડાયાબિટીસના દર્દીઓને ફાયદો કરે છે. એક ચમચી જીરાને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી સવારે આ પાણીને ઉકાળીને પી લેવું. તેનાથી આખો દિવસ બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે. 

વધેલા બ્લડ સુગરને કંટ્રોલ કરવું હોય તો સવારે ખાલી પેટ પાણીમાં પલાળેલા અંજીર ખાઈ લેવા. એક થી બે અંજીરને રાત્રે પાણીમાં પલાળી દેવા. ત્યાર પછી સવારે તેને ચાવીને ખાઈ લેવા. તેનાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link