12 વર્ષ બાદ નજીક આવશે બુધ અને ગુરૂ, આ 4 જાતકોનો સિતારો ચમકશે, થશે ધનલાભ

Tue, 19 Mar 2024-1:32 pm,

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ એક ચોક્કસ સમય બાદ અન્ય ગ્રહોની સાથે યોગનું નિર્માણ કરે છે. જેની અસર માનવ જીવન પર પડે છે. તમને જણાવી દઈએ કે અત્યારે ગુરૂ ગ્રહ મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે અને તો બુધ ગ્રહ 26 માર્ચે મેષ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી મેષ રાશિમાં ગુરૂ અને બુધની યુતિનું નિર્માણ થશે. તેવામાં આ યુતિનો પ્રભાવ દરેક રાશિઓ પર પડશે. પરંતુ 4 રાશિઓ એવી છે, જેને બુધ અને ગુરૂના વિશેષ આશીર્વાદ મળવાના છે. સાથે આ જાતકોની ખુબ પ્રગતિ થવાની છે.   

તમારા માટે ગુરૂ અને બુધની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી સપ્તમ સ્થાન પર બનવા જઈ રહી છે. તેથી પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ શરૂ કરવા માટે સમય સારો છે. તમારી આવકમાં વધારો થશે અને તમે બચત પણ કરી શકશો. જે તમારા સપનાં પૂરા થશે. જે લોકો કુંવારા છે તેને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. સાથે આ સમયમાં તમે વિચારેલી યોજનાઓ સફળ થશે.   

ગુરૂ અને બુધનો સંયોગ મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિના આવક ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી આવકમાં વધારો થવાનો છે. આ સમયે તમારી આવકના નવા સ્ત્રોત પણ ખુલશે. આ દરમિયાન તમારી કારોબાર સાથે જોડાયેલી યોજનાઓ સફળ થશે. નોકરી કરનાર જાતકોનું પ્રમોશન થઈ શકે છે. જે તમને નવી હિંમત આપશે. આ સમયે તમને સંતાન સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમયમાં શેર બજાર, સટ્ટા અને લોટરીમાં સારો લોભ થઈ શકે છે.

તમારા માટે બુધ અને ગુરૂની યુતિ લાભદાયક રહેશે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંભળીના નવમાં ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળઈ શકે છે. તમારા જે કામ અધૂરા છે તેમાં સફળતા મળશે. એટલે તમને રાહત મળશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને પરિવારમાં બધુ બરાબર ચાલશે. નોકરીમાં પ્રમોશન સાથે સન્માન મળવાનો યોગ છે. આ દરમિયાન તમે કોઈ ધાર્મિક કે માંગલિક કામમાં સામેલ થઈ શકો છો. આ દરમિયાન તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો, જે શુભ રહેશે. 

ગુરૂ અને બુધનો સંયોગ તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમને ધનલાભ થઈ શકે છે. જે તમને આર્થિક રીતે લાભ કરાવી આપશે.નોકરીયાત કરનાર લોકો ઓફિસમાં કામકાજને લઈને જે પણ નિર્ણય લેશે તેમાં તમને લાભ થશે અને પ્રશંસા મળશે. આ સમયમાં વેપારી નવી ડીલ ફાઈનલ કરી શકે છે, જે ભવિષ્યમાં લાભ આપશે. આ સમયમાં તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link