Nonstick Cookware: ક્યારેય ન કરશો નોન સ્ટિક પેનમાં આ 6 વસ્તુઓ રાંધવાની ભૂલ, નહીં તો ઝેર જેવું થઈ જશે ભોજન!

Wed, 17 Nov 2021-6:40 am,

નોન-સ્ટીક પેનમાં હાઈ હીટ પર કોઈ વસ્તુ રાંધવી ન જોઈએ. તેના કારણે પેનની કોટિંગ ઓગળે છે અને કોટિંગમાંથી નીકળતો ધુમાડો ટોક્સિક બને છે. જો તમે મીટ કે બર્ગર જેવી વસ્તુ નોનસ્ટીકમાં રાંધો છો, તો તે તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે.

ચટણી, સૂપ, મીટ, ખીર અથવા અન્ય કોઈપણ વસ્તુ કે જે તમારે લાંબા સમય સુધી ધીમી કે હાઈ-હીટ પર રાંધવાની હોય તેને નોન-સ્ટીક પેનમાં રાંધશો નહીં. આવી વસ્તુઓ પેનનાં કોટિંગને અસર કરે છે. ખાદ્યપદાર્થોમાં પેનની કોટિંગ ભળવાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે.

સ્ટિર ફ્રાય શાકભાજી મોટાભાગે તેલ અને મસાલા વગર બનાવવામાં આવે છે, પરંતુ સ્ટિર ફ્રાય શાકભાજી જેને રાંધવામાં સમય લાગે છે અથવા તો જેમાં હીટની વધારે જરૂર હોય તેવા શાકભાજીને નોન-સ્ટીક પેનમાં ન રાંધવા જોઈએ. હાઈ હીટથી નોન-સ્ટીક પેનનાં કોટિંગને અસર થાય છે. અને આ સ્થિતિમાં રાંધેલી વસ્તુઓ પણ ખરાબ થઈ જાય છે.

મીટ જેવી વસ્તુઓ રાંધવા માટે, તમે પેનને પ્રી-હીટ કરો છો. આમ કરવાથી નોન સ્ટિક પેનમાં રાંધેલી વસ્તુઓ નુકસાનકારક સાબિક થઈ થઈ શકે છે.

એવી ઘણી વાનગીઓ કે જેને રાંધવામાં હાઈ-હીટની જરૂર નથી પડતી. આવી વસ્તુઓને નોન-સ્ટીક તવા પર રાંધી શકો છો. ચીલા અથવા આમલેટ જેવી વસ્તુઓ નોન-સ્ટીક તવા પર સરળતાથી બની જાય છે, જેથી તમે તેનો ઉપયોગ કરી શકો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link