Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો

Mon, 26 Apr 2021-3:34 pm,

હકીકતમાં કેટલાક કેસમાં રસીની આડઅસર સામે આવી છે. ત્યારબાદ કોવિશીલ્ડ અને કોવેક્સીન તરફથી ફેક્ટશીટ બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે કયા લોકોએ આ રસી લેવી જોઈએ નહીં. 

કોવેક્સીન અને કોવિશીલ્ડ નિર્માતાઓએ ફેક્ટશીટમાં કહ્યું છે કે જો કોઈ વ્યક્તિને રસીના કોઈ ખાસ ઈન્ગ્રિડિયન્ટની એલર્જી હોય તો તેમણે આ રસી લેવી જોઈએ નહીં. 

જો પહેલા ડોઝ બાદ રિએક્શન જોવા મળ્યું હોય અને કોરોનાનું ઘાતક સંક્રમણ અને ખુબ તાવ હોય તો આવામાં પણ પણ રસી ન મૂકાવો.

કોવેક્સીન અને કોવિશીલ્ડની ફેક્ટશીટમાં ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને પણ રસી ન લેવાની સલાહ આપવામાં આવી છે. 

બંને દવા કંપનીઓની ફેક્ટશીટમાં કહેવાયું છે કે રસી લગાવતા પહેલા તમારા હેલ્થકેર પ્રોવાઈડરને સ્વાસ્થ્ય સંબંધિત તમામ જાણકારીઓ આપો. તમારી મેડિકલ કંડિશન જણાવ્યાં બાદ જ રસી મૂકાવો. (ખાસ નોંધ- કોઈ પણ તારણ પર પહોંચતા પહેલા હંમેશા કોઈ વિશેષજ્ઞ કે ચિકિત્સક સાથે ચર્ચા કરો. ઝી ન્યૂઝ આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link