રોહિત શર્માની દરિયાદિલી જોઈને રહી જશો દંગ! સેવા કરવામાં દિલનો રાજા છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન

Thu, 27 Jun 2024-6:01 pm,

રોહિત શર્માએ કેન્યામાં જંગલી પ્રાણીઓને બચાવવા માટે શિકાર વિરોધી અભિયાન ચલાવ્યું. તેનો હેતુ જંગલી પ્રાણીઓને બચાવવાનો હતો. આ અભિયાનમાં હોલિવૂડ સ્ટાર્સ મેટ લે બ્લેન્ક અને સલમા હાયકે પણ તેને સપોર્ટ કર્યો હતો.

રોહિત શર્માએ ગેંડાના સંરક્ષણ માટે અભિયાન પણ ચલાવ્યું છે. તે IPLમાં ગેંડા સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ખાસ શૂઝ પહેરીને પણ જોવા મળ્યો હતો. 2019માં રોહિતે Rohit4Rhinos અભિયાન પણ કર્યું હતું.

રોહિત શર્માએ PETA સાથે મળીને બેઘર બિલાડીઓ અને કૂતરાઓની નસબંધી માટે અભિયાન શરૂ કર્યું હતું. તેમની સંખ્યાને નિયંત્રિત કરીને, બેઘર પ્રાણીઓની સમસ્યા હલ કરી શકાય છે. આ માટે તેણે એક જાહેરાત શૂટ કરી હતી. તેમજ રખડતા પશુઓને નુકશાન ન કરવા અપીલ કરી હતી.  

https://www.instagram.com/reel/ChW_z4zD93F/ સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના કચરાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. આ પ્લાસ્ટિક દરિયામાં જાય છે અને દરિયાઈ જીવો તેમજ આપણા માટે જોખમ ઊભું કરે છે. તેને ઘટાડવા માટે રોહિત શર્માએ એડિડાસ સાથે મળીને ખાસ કપડાં લોન્ચ કર્યા. આ ખાસ કપડાં પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલ કરીને બનાવવામાં આવ્યા હતા.

2020માં જ્યારે આખો દેશ કોરોના સામેની લડાઈ લડી રહ્યો હતો, ત્યારે રોહિત શર્મા આગળ આવ્યો અને દાન આપ્યું. રોગચાળા દરમિયાન, તેમણે પીએમ કેર ફંડમાં રૂ. 45 લાખ, મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ. 25 લાખ, ફીડિંગ ઇન્ડિયાને રૂ. 5 લાખ અને રખડતા કૂતરાઓના કલ્યાણ ફંડમાં રૂ. 5 લાખનું દાન આપ્યું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link