રાશિફળ 04 માર્ચ: આ 5 રાશિના જાતકો પર આજે રહેશે શનિદેવની ભરપૂર કૃપા, ચારેકોરથી મળશે સફળતા!

Sat, 04 Mar 2023-7:00 am,

મેષ: ગણેશજી કહે છે, આજના દિવસની શરૂઆતમાં જ તમારી દિનચર્યાને લગતી યોજનાઓ બનાવી લો. સમય અનુકૂળ છે. માર્કેટિંગ તથા પેમેન્ટ કલેક્ટ કરવા જેવા કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહેશે. આજે સ્વાસ્થ્ય સારું રહેશે.   

વૃષભ: ગણેશજી કહે છે, કોઇ નજીકના સંબંધી દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે. વ્યવસાયમાં થોડી મંદીનો સમયગાળો રહી શકે છે. પતિ-પત્નીના સંબંધો વધારે ગાઢ બનશે. સાંધામાં દુખાવાની કોઇ જૂની સમસ્યા વધી શકે છે.  

મિથુન: ગણેશજી કહે છે, પિતા કે પિતા સમાન વ્યક્તિની સલાહ અને માર્ગદર્શનનું અનુસરણ કરવું તમારા માટે હિતકારી રહેશે. વ્યવસાયમાં પબ્લિક ડીલિંગને લગતા કાર્યોમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે. વધારે કામ હોવાના કારણે ઘર-પરિવાર સાથે સમય પસાર થઇ શકશે નહીં.   

કર્ક: ગણેશજી કહે છે, આજે તમારા વ્યક્તિગત કાર્ય તથા પરિવાર સાથે સારો સમય પસાર થશે. ઘરની જરૂરિયાતને લગતી વસ્તુઓની ઓનલાઇન શોપિંગ પણ થશે. પતિ-પત્ની એકબીજાન તાલમેલ દ્વારા કોઇ પારિવારિક સમસ્યાને ઉકેલી શકે છે. ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. 

સિંહ: ગણેશજી કહે છે, આજે મોટાભાગનો સમય વ્યક્તિગત તથા પારિવારિક કાર્યને પૂર્ણ કરવામાં જ પસાર થઈ જશે. મંદીના સમયગાળામાં વ્યવસાયિક ગતિવિધિઓ સારી જળવાયેલી રહેશે. ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહી શકે છે. શરદી અને તાવ જેવી પરેશાનીના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહી શકે છે. 

કન્યા: ગણેશજી કહે છે, લાભદાયક સંપર્ક સૂત્રોનો ઉપયોગ કરવાનો સમય છે. જે તમારા માટે આર્થિક રૂપથી ખૂબ જ ફાયદાકારક રહેશે. આ સમયે વ્યવસાય પ્રત્યે વધારે ગંભીરતા અને મહેનતની જરૂરિયાત રહેશે. જીવનસાથી તથા પારિવારિક સભ્યો સાથે સુખમય સમય પસાર થશે.  

તુલા: ગણેશજી કહે છે, આજે કોઇ ખાસ કામમાં સફળતા મેળવવા માટે વધારે પરિશ્રમની જરૂરિયાત છે, પરંતુ તમને ચોક્કસ સફળતા મળશે. કોઇપણ વ્યવસાયિક યાત્રાને ટાળો તો સારું રહેશે. ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહી શકે છે. સ્વાસ્થ્ય સારું રહી શકે છે. 

વૃશ્ચિક: ગણેશજી કહે છે, આજે વાતચીતના માધ્યમથી કોઇ વિવાદનો ઉકેલ અને સમાધાન પણ મળી જશે. જો વ્યવસાય વધારવા માટે કોઇ સાથે પાર્ટનરશિપ કરવાની યોજના બની રહી છે, તો તમારો નિર્ણય પોઝિટિવ રહેશે. પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. 

ધનુ: ગણેશજી કહે છે, ગ્રહ સ્થિતિ તમારા માટે અનુકૂળ છે. તમને તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે વ્યવસાયિક પ્રણાલીમાં કરેલાં કાર્યોમાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.તમારા પારિવારિક તથા વ્યક્તિગત મામલે કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં. 

મકર: ગણેશજી કહે છે, આજનો દિવસ સામાન્ય જ રહેશે. તમે તમારી ક્ષમતા પ્રમાણે કામને અંજામ આપવામાં સફળ રહેશો. વ્યવસાયિક મામલે બધા નિર્ણય જાતે જ લો. પતિ-પત્નીમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે. શુગરના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું. 

કુંભ: ગણેશજી કહે છે, આજે મનોરંજન તથા સુખ-સુવિધાને લગતી ગતિવિધિઓમાં તમારો સારો સમય પસાર થશે. વેપારમાં વિસ્તારને લગતી યોજના સફળ રહેશે. વધારે આવકના પણ માર્ગ મળી શકે છે. પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે. માથાનો દુખાવો તથા માઇગ્રેનની સમસ્યા પરેશાન કરી શકે છે. 

મીન: ગણેશજી કહે છે, આજે કોઇ અટવાયેલું કામ અચાનક જ બની શકે છે, જેના કારણે વિજય પ્રાપ્ત કરવા જેવી ફીલિંગ રહેશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કાર્યક્ષેત્રમાં કોઇ નવા કામને શરૂ કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link