ધનતેરસ પહેલા વેપારના દાતા બુધનો થશે ઉદય, આ જાતકોને નવી નોકરી સાથે ધનલાભનો યોગ

Fri, 11 Oct 2024-12:40 pm,

ગ્રહોના રાજકુમાર બુધ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. બુધને સુખ-સમૃદ્ધિ, બુદ્ધિ, વેપાર, એકાગ્રતાનો કારક માનવામાં આવે છે. તેવામાં બુધના રાશિ પરિવર્તનની અસર દરેક જાતકોના જીવનમાં જરૂર પડે છે. આ સમયે બુધ અસ્ત અવસ્થામાં છે. તો આવનારી 22 તારીખે તુલા રાશિમાં બુધ ઉદિત થશે. બુધના ઉદિત થવાની સાથે કેટલાક જાતકોને વિશેષ લાભ મળશે. આ જાતકો કરિયરમાં પ્રગતિ કરશે તો ધનલાભનો પણ યોગ બનશે. જાણો બુધના ઉદયથી કયા જાતકોને લાભ થશે.

મિથુન રાશિના જાતકો માટે બુધ ઉદય લાભકારી માનવામાં આવી રહ્યું છે. આ રાશિના જાતકોના પાંચમાં ભાવમાં બુધ ઉદય થશે. તેવામાં મિથુન રાશિના લોકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. લાંબા સમયથી અટવાયેલા કામ થઈ શકે છે. પરિવાર સાથે પણ સમય પસાર થશે. કરિયરના ક્ષેત્રમાં ઉચ્ચ પ્રગતિ સાથે નોકરીની તક મળી શકે છે. તેવામાં તમે સંતુષ્યિનો અનુભવ કરશો. વેપારની વાત કરીએ તો સટ્ટાબાજી દ્વારા તમને ખુબ લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. ધનલાભના ઘણા યોગ બની રહ્યાં છે. આ સાથે તમે બચત પણ કરી શકશો. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. લવ લાઇફ સારી રહેશે. પાર્ટનર સાથે સમય પસાર થવાનો છે. સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે.

આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. આ રાશિના બીજા ભાવમાં બુધ ઉદિત થશે. તેવામાં પરિવારનો વિકાસ થશે અને ખુશીઓનું આગમન થશે. તમે તમારા કામ પ્રત્યે વધુ સતર્ક અને જાગરૂત રહેશો.કરિયરના ક્ષેત્રમાં મોટો લાભ મળી શકે છે. નોકરીના સિલસિલામાં તમારે લાંબી યાત્રા કરવી પડી શકે છે. પરંતુ તેનાથી તમને લાબ મળશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે આ સમય ખુબ સારો છે. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી તમને ખુબ લાભ મળી શકે છે. લવ લાઇફ સારી રહેશે. સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે.  

આ રાશિના લગ્ન ભાવમાં બુધ ઉદિત થવાના છે. તેવામાં તમને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ધનલાભ થઈ શકે છે. ભાગ્યનો સાથ મળશે, જેનાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે. વેપારમાં લાભ મળવાનો યોગ છે. તમારા દ્વારા કરવામાં આવેલું રોકાણ સારો લાભ અપાવશે. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. વેપાર-ધંધામાં પણ તમને લાભ થશે. આ સિવાય તમે બચત પણ કરી શકશો. જીવનસાથી સાથે સમય પસાર થશે.  

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link