ડાયાબિટીઝના દર્દીઓએ ખાવા ન જોઇએ આ 5 ફળ, Out of Control થઇ જશે બ્લડ શુગર લેવલ

Thu, 05 Oct 2023-9:05 am,

ડાયાબિટીસના દર્દીઓએ પણ દ્રાક્ષનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ, કારણ કે તેમાં વિટામિન સી અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, જે સુગર લેવલને ઝડપથી વધારી શકે છે. જો તમારે દ્રાક્ષ ખાવાની ઈચ્છા હોય તો પહેલા તમારા ડોક્ટરને પૂછો.

ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) હોય છે. કેરીના સેવનથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે.

પપૈયું એક પૌષ્ટિક ફળ છે, પરંતુ તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ વધારે છે. એક કપ પપૈયાના ટુકડામાં લગભગ 22 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ પણ તેનાથી દૂર રહેવું જોઈએ.

કેળા એક લોકપ્રિય ફળ છે, પરંતુ તે ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતું ફળ છે. એક મોટા કેળામાં લગભગ 27 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. એવામાં ડાયાબિટીસના દર્દીઓએ કેળા ન ખાવા જોઈએ.

પાઈનેપલમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ સુગર લેવલને વધારી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ અનાનસથી દૂર રહેવું જોઈએ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link