બાપુની 150મી જન્મ જયંતિના ભાગરૂપે પોરબંદરથી શરૂ થઇ ડીજીટલ દાંડી યાત્રા, જુઓ તસવીરો

Tue, 17 Sep 2019-1:02 pm,

યંગ ઈન્ડીયન્સ હાલમાં ગાંધી વિચારના પ્રસાર માટે ડીજીટલ દાંડી યાત્રા ચલાવી રહી છે. આ યાત્રાનો પ્રારંભ તા.7 સપ્ટેમ્બરના રોજ પોરબંદરથી થઈ છે.

યંગ ઈન્ડીયન્સના તમામ ચેપ્ટર્સ ખાતેથી પસાર થઈને તેનું 2 ઓક્ટબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે દિલ્હીમાં રાજઘાટ ખાતે સમાપન થશે.

ડીજીટલ દાંડી યાત્રા તા.11 થી 13 સપ્ટેમ્બર દરમ્યાન અમદાવાદનાં ઘણાં સ્થળોની મુલાકાત લીધી હતી અને વિવિધ સમારંભોની સાક્ષી બની હતી.

તા.13 સપ્ટેમ્બરના રોજ યંગ ઈન્ડીયન, અમદાવાદના કો-ચેર વિરલ શાહ દાંડીને કાલુપુર રેલવે સ્ટેશને લઈ ગયા હતા અને પ્રતિકાત્મક રીતે અમદાવાદના ડીઆરએમ- દીપક કે આર જ્હાને દાંડી સુપરત કરી હતી.

આ સમારંભ પછી સ્ટેશનના સંકુલમાં પ્રદર્શન યોજાયું હતું. ડીજીટલ દાંડી હવે પછી ઈંદોર જશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link