ભૂલથી પણ કિન્નરોને આપશો નહી આ 5 વસ્તુ, ઘરમાં દોડીને આવે છે ગરીબી

Sat, 18 Nov 2023-11:37 am,

માન્યતા છે કે વ્યંઢળો પાસેથી દાન આપવાથી કે લેવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. તો બીજી તરફ કિન્નરો સાથે ખરાબ વ્યવહાર અથવા ખોટી વસ્તુઓનું દાન ગરીબી અને મુશ્કેલીઓ લાવે છે. આવો જાણીએ વ્યંઢળોને શું ન આપવું જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કિન્નરોને દાન આપવા કે લેવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. એવામાં, ચાલો જાણીએ કે કિન્નરોને કઈ વસ્તુઓ દાન ન કરવી જોઈએ.

ક્યારેય કિન્નરને ગંદા કે પહેરેલા કપડાં દાન કરવા જોઈએ નહીં. આવું દાન આપવાથી તમારા ઘરમાં સમસ્યાઓનું આગમન થાય છે અને જીવન પરેશાનીઓથી ઘેરાય છે. જ્યારે પણ તમે કોઈ કિન્નરને કપડાં આપવા લાગો તો એ વાતનું ધ્યાન જરૂર રાખો કે તે જૂના કે ગંદા ઉપયોગમાં લેવાયેલા ન હોય. 

ધાર્મિક ગ્રંથો મુજબ ઝાડુને ખુબ જ શુભ અને સ્વયં દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ કોઈ કિન્નરને તેનું દાન કરવું ખાસ કરીને નિષેધ છે. કિન્નરોને ઝાડુનું દાન કરવું એ દેવી લક્ષ્મીની નારાજગીનું કારણ બને છે. આથી ભૂલેચૂકે કોઈ કિન્નરને ઝાડુનું દાન કરવું જોઈએ નહીં. 

કિન્નરોને ક્યારેય તેલનું દાન કરવું જોઈએ નહીં. તેલનું દાન કરવું એ ઘરમાં દુર્ઘટનાઓ અને પરોક્ષ આફતો તરફ સંકેત આપે છે.

કિન્નરોને સ્ટીલના વાસણો અથવા સામાન પણ આપવો ન જોઇએ. આમ કરવાથી ઘરમાં લડાઇ ઝઘડાનો માહોલ બને છે. 

એવું માનવામાં આવે છે કે કોઈ કિન્નરને તેનું દાન કરવું એ ઘરના સભ્યોની પ્રગતિમાં અડચણ પેદા કરે છે. આ સાથે જ ધન સંપત્તિ સંબંધિત મામલાઓમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પ્લાસ્ટિકને અપવિત્રની સંજ્ઞા અપાયેલી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link