મહિલાઓ ખાસ ધ્યાન આપો..લોટ બાંધતી વખતે આ 2 વસ્તુ ભેળવી દો તો ચમત્કાર થશે, રાતો રાત બની જશો કરોડપતિ

Thu, 05 Sep 2024-2:23 pm,

રોટલી બનાવતી વખતે કરાયેલા કેટલાક ઉપાય ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકે છે. આ ઉપાયથી ઘરમાં ધન ખેંચાઈ આવે છે. આ માટે લોટ બાંધતી વખતે તેમાં કેટલીક ખાસ વસ્તુ ભેળવવી જોઈએ. 

રોટલી બનાવવા માટે જ્યારે લોટ બાંધીએ ત્યારે તેમાં રોજ થોડું ઘી અને કેટલાક સાકરના દાણા ભેળવવા જોઈએ. ઘી અને સાકરનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. શુક્ર ગ્રહ ધન વિલાસતા, ઐશ્વર્યના કારક ગ્રહ છે. શુક્ર ગ્રહ શુભ હોય તો જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. 

રોજ લોટ બાંધતી વખતે તેમાં ઘી અને સાકર ભેળવી દો તો ક્યારેય જીવનમાં ધનની કમી નહીં થાય. આ સાથે જ રોજ પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવો. તેનાથી તમામ ગ્રહ દોષ દૂર થશે અને દેવી દેવતાઓની કૃપા થશે. 

જ્યારે રોટલી બનાવવાની શરૂઆત કરો તો તવા પર પહેલા થોડું મીઠું ભભરાવો. ત્યારબાદ રોટલી બનાવો. આ ઉપાય પણ ધન પ્રાપ્તિમાં ખુબ  કારગર છે. 

ક્યારેય ભોજનની બરબાદી ન કરો. તેનાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે. માતા અન્નપૂર્ણા માતા લક્ષ્મીનું જ એક સ્વરૂપ છે. ભોજનની બરબાદીની એક ભૂલ તમને પાઈ પાઈ માટે મોહતાજ કરી શકે છે. જ્યારે લોટ અને રોટલી સંબંધિત જ્યોતિષ ઉપાય જાતકોને અમીર બનાવી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link