કૃષ્ણની દ્વારકા નગરી પાણીમાં જળ મગ્ન, મેઘતાંડવ બાદની નગરીનો આકાશી નજારો જુઓ

Sun, 21 Jul 2024-4:19 pm,

24 કલાકમાં 17 ઈચ વરસાદથી આખું દ્વારકા પાણી પાણી થયું છે. સમગ્ર દ્વારકા જળબંબાકાર થયેલું છે. 24 કલાકમાં વરસાદનો વિરામ પણ પાણી ઓસર્યા નથી. લોકોને હજી પણ ઘુંટણ સમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. દ્વારકામાં નગરપાલિકા તંત્ર પણ લાચાર છે. લોકોએ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. 

કૃષ્ણની દ્વારકા નગરીના મેઘતાંડવ બાદના દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. દ્વારકાના આવળ પાળા વિસ્તારોના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકામાં નજર પડે ત્યાં પાણી જ પાણી છે. યાત્રાધામ દ્વારકામાં અનરાધાર વરસેલા વરસાદે વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દ્વારકાના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. 

દ્વારકાનું સુરજકરાડી ગામ હજુપણ પાણીમાં ગરકાવ છે. સુરજકરાડી ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. બજાર સહિત લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો બીજી તરફ ઓખા નગરપાલિકાનું તંત્ર હજુપણ ઊંઘમાં છે. બે દિવસ બાદ પણ કોઈ અધિકારી ફરક્યા પણ નથી. 

તો આ તરફ સૂરજકરાડીનો ઉદ્યોગનગર વિસ્તાર પણ પાણીમાં ડૂબેલો છે. વરસાદ રોકાયો છતાં પાણી ઓસરતા નથી. તો ઓખા તંત્ર દ્વારા પણ હજુ સુધી કોઈ મદદ કરવામાં આવી નથી.

દ્વારકાનગરી હજુપણ પાણીમાં ગરકાવ છે. વરસાદ રોકાવા છતાં પાણી ઉતરતા નથી. અનેક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે. ઈસ્કોન ગેટ, ભદ્રકાળી વિસ્તારમાં પાણી જ પાણી છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. 24 કલાક બાદ પણ પાણી ન ઉતરતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link