Farmers Protest: 4 લેયર પ્રોટેક્શનમાં ફેરવાઇ દિલ્હીની સુરક્ષા, સિંધુ બોર્ડર કરી આ વ્યવસ્થા

Sat, 12 Dec 2020-11:27 pm,

નવા કૃષિ કાયદાના વિરોધમાં ગત 15 દિવસોથી દિલ્હી-હરિયાણા સિંધુ બોર્ડર (Singhu Boder)પર ધરણા આપી રહેલા હજારો ખેડૂતોએ પોતાનું આંદોલન (Farmers Protest) તેજ કરવાની જાહેરાત કરી છે. શનિવારે સાંજે પત્રકાર પરિષદ કરીને ખેડૂત નેતા કમલપ્રીત પન્નૂ (Kamal Preet Singh Pannu)એ 14 ડિસેમ્બરના રોજ ભૂખ હડતાલની જાહેરાત કરી છે. 

પન્નૂએ કહ્યું કે અમારા ધરણા દિલ્હીના 4 સ્થળો પર ચાલી રહ્યા છે. રવિવારે રાજસ્થાન બોર્ડરથી હજારો ખેડૂતો ટ્રેક્ટર માર્ચ નિકાળશે અને દિલ્હી-જયપુર હાઇવે બંધ કરશે. 14 ડિસેમ્બરના રોજ ખેડૂત દેશની દરેક ડીસી ઓફિસની બહાર પ્રોટેસ્ટ કરશે. તેમણે કહ્યું કે અમે અમારી માતાઓ-બહેનોને પણ આંદોલનમાં બોલાવી રહ્યા છીએ. તેમના માટે અહીં રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

ખેડૂત નેતાએ કહ્યું કે સરકાર વિચારે છે કે કેસ લટકાવી દેવામાં આવે તો આ આંદોલન નબળો પડી જશે. પરંતુ તેમની ભૂલ છે. અમારું આંદોલન શાંતિપૂર્ણ રહેશે. અમે કાયદો રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું. 

અમે સરકારને સ્પષ્ટ કહી દીધું છે. કાયદો રદ કરવો પડશે. ફેરફાર મંજૂર નથી. સરકાર કહી રહી છે કે આ કાયદો ખેડૂતોની ભલાઇ માટે છે. પરંતુ હકિકતમાં કાયદો, ટ્રેડર, કોર્પોરેટર ઘરાના માટે બનાવવામાં આવ્યો છે. 

તો બીજી તરફ ગુજરાતના વિભિન્ન ભાગોમાં કમોસમી વરસાદના કારણે પાકને મોટું નુકસાન થયું છે. મગફળી, જીરા અને કપાસના પાકને અસર પડી છે. ખેડૂતોના નુકસાનને જોતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કમોસમી વરસાદ અને પાકને નુકસાનની જાણકારી મંગાવી છે અને અસરગ્રસ્ત ખેડૂતોને તે મુજબ વળતર આપવામાં આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link