100 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર બનશે ગજકેસરી રાજયોગ, 3 જાતકોનો થશે ભાગ્યોદય, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગ

Thu, 02 May 2024-12:36 pm,

Akshaya Tritiya 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે અક્ષય તૃતીયા 10 મેએ ઉજવવામાં આવશે. તો તમને જણાવી દઈએ કે આ વર્ષે અક્ષય તૃતીયા પર ગજકેસરી રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ રાજયોગ ગુરૂ અને ચંદ્રની યુતિથી બનશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ મળી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. આ રાશિના જાતકોને મોટો ફાયદો થઈ શકે છે. 

તમારા લોકો માટે ગજકેસરી રાજયોગ અનુકૂળ સિદ્ધ સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના ધન અને વાણી ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે જે લોકો વિદેશથી કારોબાર કરે છે તેના માટે સફળતાની નવી તકો આવશે. તેથી આ રાશિના જાતકોને સારી માત્રામાં ધન પ્રાપ્ત થશે અને આવકમાં વધારાનો યોગ છે. જેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. સાથે આ સમયે તમારી વાણીનો પ્રભાવ વધશે., જેનાથી લોકો પ્રભાવિત થશે. 

ગજકેસરી રાજયોગના બનવાથી કર્ક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારા અટવાયેલા કામ થશે. તમારે કરિયર સાથે જોડાયેલા નિર્ણયો લેવા પડી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. આ સમયમાં તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. તો વિદ્યાર્થીઓ માટે આ સમય લાભકારી રહેશે.

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link