Photos: આ શહેરમાં ઉજવવામાં આવે છે અજીબોગરીબ તહેવાર, છાણના લાડવા બનાવી કરે છે કંઇ આવું

Tue, 09 Nov 2021-4:11 pm,

આ ઉત્સવમાં ભાગ લેનારા ગામના લોકો બપોરે ગાય માલિકોના ઘરે જાય છે અને ત્યાંથી ગાયનું છાણ એકઠું કરે છે. ત્યાર બાદ ગાયના છાણને ટ્રેક્ટર દ્વારા ગામના મંદિરમાં લાવવામાં આવે છે. (Image: ANI)

મંદિરના પૂજારી દ્વારા છાણની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ મોટી સંખ્યામાં એકત્ર થયેલ ગાયના છાણને ખુલ્લા મેદાનમાં રાખવામાં આવે છે. આ પછી, પુરુષો ખુલ્લા મેદાનમાં પ્રવેશ કરે છે અને એકબીજા પર છાણના ગોળા અથવા લાડુ બનાવી ફેંકવાનું શરૂ કરે છે.

દર વર્ષે ભારતના વિવિધ ભાગોમાંથી લોકો આ તહેવારના સાક્ષી બનવા માટે ગુમતાપુરા ગામમાં આવે છે. કહેવાય છે કે છાણની લડાઈ જોવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે.

સ્થાનિક ખેડૂત મહેશને AFPના અહેવાલના અહેવાલથી કહ્યું, 'જો કોઈને કોઈ રોગ છે, તો તેના આ ઉત્સવમાં ભાગ લવાથી સાજો થઈ જશે.'

કોવિડ-19 મહામારી હોવા છતાં 2020માં 'ગોરહબ્બા ઉત્સવ' ઉજવવામાં આવ્યો હતો. જો કે, સ્થાનિક સત્તાવાળાઓએ ઇવેન્ટ માટે પરવાનગી આપી હતી અને થોડી સંખ્યામાં લોકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link