Govinda: લગ્ન પછી પણ ગોવિંદાનું આ 3 અભિનેત્રીઓ સાથે ચાલ્યું ચક્કર, એકના કારણે તો સગાઈ પણ તૂટી ગઈ હતી

Wed, 02 Oct 2024-1:04 pm,

ગોવિંદા અને સુનિતા આહુજાના લગ્ન 1987 માં થઈ ગયા હતા. પરંતુ લગ્નના ચાર વર્ષ સુધી ગોવિંદાએ આ જાણકારી કોઈને આપી નહીં. તેનું લગ્નજીવન શાંતિપૂર્ણ ચાલી રહ્યું હતું પરંતુ વર્ષ 2000માં ગોવિંદાની પર્સનલ લાઇફમાં સમસ્યાઓ ઊભી થઈ. 

વર્ષ 2000 માં ગોવિંદા અને રાની મુખર્જીનું અફેર ચાલતું હતું. ફિલ્મ હદ કર દી આપને માં કામ કર્યા પછી ગોવિંદા અને રાની મુખર્જી એકબીજાની નજીક આવી ગયા. જેની ખબર સુનિતા આહુજાને પડતા ગોવિંદાના લગ્ન જોખમમાં મુકાઈ ગયા હતા. 

રાની મુખર્જી ઉપરાંત ગોવિંદાનું નામ રવિના ટંડન સાથે પણ જોડાઈ ચૂક્યું છે. ગોવિંદા અને રવિના ટંડનની જોડી લોકોને પણ પસંદ હતી. તેમણે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને આ સમય દરમિયાન તેમનું અફેર પણ ચાલ્યું હતું. જોકે ગોવિંદાનું આ અસર લાંબા સમય સુધી ચાલ્યું નહીં. 

ગોવિંદાનું અફેર નીલમ કોઠારી સાથે લાંબા સમય સુધી ચાલ્યું. બંનેએ એકબીજા સાથે 14 ફિલ્મો કરી હતી. તે સમયે ગોવિંદા અને સુનીતાની સગાઈ થઈ ગઈ હતી. નીલમ કોઠારીના પ્રેમમાં પાગલ ગોવિંદા સુનિતાને પણ નીલમ જેવી બનવા માટે કહેતો હતો. 

એક વખત જ્યારે સુનીતાને ગોવિંદાએ નીલમ વિશે વાત કરી તો સુનીતા આહુજા ગુસ્સે થઈ ગઈ અને તેણે પોતાની સગાઈ તોડી નાખી. આ વાતનો ખુલાસો ખુદ ગોવિંદાએ એક મુલાકાત દરમિયાન કર્યો હતો. ગોવિંદાને નીલમ સાથે લગ્ન કરવા હતા પરંતુ તેની માતાના કહેવા પર તેણે સુનિતા સાથે લગ્ન કર્યા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link