ગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીઓને સરકાર આપશે 25-25 હજાર રૂપિયા, જાણો કેવી રીતે મેળવી શકો છો લાભ

Fri, 18 Feb 2022-2:32 pm,

 

ગર્લ સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત કરવા માટે બિહાર સરકારે ગ્રેજ્યુએટ થનારી વિદ્યાર્થિનીઓને 25 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. શું છે આ સ્કીમ અને તમે તમારી દીકરીના નામે આ સ્કીમનો લાભ કેવી રીતે લઈ શકો છો? આવો જાણીએ...

 

'બાલિકા સ્નાતક પ્રોત્સાહન યોજના' રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે ચલાવવામાં આવે છે. આ યોજનામાં સરકાર ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીનીઓને 25-25 હજાર રૂપિયા આપે છે.

 

 

 

આ યોજના પાછળ સરકારનો હેતુ વિદ્યાર્થિનીઓને શિક્ષિત અને આત્મનિર્ભર બનાવવાનો છે. યોજનાના નિયમો અનુસાર, આ લાભ ફક્ત તે જ વિદ્યાર્થીનીઓને મળશે જેઓ રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અને સંલગ્ન કોલેજોમાંથી સ્નાતક થયા છે.

 

સ્કીમ હેઠળ મળેલા રૂપિયા સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ માટે ઈ-કલ્યાણની વેબસાઈટ www.edudbt.bih.nic.in પર જવું પડશે. સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન અને લૉગિન માટે ફક્ત લિંક 1 પર ક્લિક કરીને અહીં ઑનલાઇન 

 

અરજી કરવા માટે, અરજદારે 25 એપ્રિલ 2018 પછી ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ. ફોર્મ ભરતી વખતે, જરૂરી કાગળ જેમ કે આધાર કાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઈઝ ફોટો, સરનામા માટેનું કોઈપણ આઈડી, ગ્રેજ્યુએશન માર્કશીટ વગેરે તમારી સાથે રાખો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link