કચ્છમાં સ્થળાંતર કરેલા મજૂરો પરત ફર્યા તો બોલ્યા, હવે ઘરમાં જવાની હિંમત નથી થતી
પોતાના રહેઠાણ પાણીમાં ડૂબેલા જોઈને શ્રમિકો ચિંતામાં મૂકાઈ ગયા છે. ઘરોમાં અંદર સુધી પાણી હોવાથી ચિંતાનું મોટું કારણ બન્યું છે.
હાલ, ઘરોમાં ભરાયેલા પાણીનો નિકાલ થાય એ સૌથી મોટી પ્રાથમિકતા છે. સરકારી તંત્ર વહેલામાં વહેલી તકે તેમના સુધી પહોંચે તે અત્યંત જરૂરી છે. આ માટે સ્થાનિકો સરકાર પાસે મદદની આશા લગાવીને બેસ્યા છે.