ગુજરાતની પ્રથમ સૂર્ય ઘડિયાળ આ શહેરમાં મૂકાઈ છે, સૂર્યના તડકાથી નક્કી થાય છે સમય

Fri, 20 Sep 2024-3:49 pm,

આજના યુગમાં સમય જોવા માટે અનેક ટેકનોલોજી વિકસાવાઈ છે. ખાસ કરીને ઘડિયાળ, મોબાઈલ વગેરે થકી સમય જાણી શકાય છે, પણ જ્યારે ઘડિયાળની શોધ થઈ નહ તી ત્યારે સમય જોવા માટે સૂર્ય પ્રકાશ આધારિત પડછાયા મુજબ સમય નક્કી કરવામાં આવતો હતો અને આ સમય સ્થાનિક જોવા મળતો હતો. આ બાબત ખૂબ જ ઓછા લોકોને ખબર હશે અને સૂર્ય ઘડિયાળ ના પડછાયા મુજબ સમય નક્કી કરવાની પદ્ધતિ પણ ખૂબજ ફાયદારૂપ હતી. ત્યારે આ પ્રકારની સૂર્ય ઘડિયાળ ગુજરાતમા આવેલી છે. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાત રાજ્યની પ્રથમ સનડાયલ (સૂર્ય પડછાયા આધારિત સમય દર્શાવતી ઘડિયાળ એટલે કે સૂર્ય-ઘડિયાળ) આવેલી છે. આવો જોઈએ આ કેવી રીતે કામ કરે છે અને દેશના સમય અને સ્થાનિક સમયમાં શું ફેર ફાર જોવા મળે છે.

પાટણમાં દસ એકર વિસ્તારમાં ફેલાયેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાત રાજ્યની પ્રથમ સનડાયલ (સૂર્ય પડછાયા આધારિત સમય દર્શાવતી ઘડિયાળ એટલે કે સૂર્ય-ઘડિયાળ) આવેલી છે. આ સનડાયલથી પાટણના સ્થાનિક સમય જાણવામાં મદદ કરે છે. દેશનો માનક સમય 5.30 નો છે. જેની સામે પાટણનો માનક સમય 4.50 નો છે. એટલે કે, દેશના માનક સમય કરતાં પાટણની ઘડિયાળ સરેરાશ 40 મિનિટ પાછળ ચાલી રહી છે. 

રિજયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે, સૂર્ય અને પૃથ્વીના પરિભ્રમણ સાથે જેમ ઋતુમાં ફેરફાર થાય છે, તેમ તેમ પાટણના સ્થાનિક સમયમાં પણ ફેરફાર થાય છે. દર વર્ષે 10 થી 15 ફેબ્રુઆરી વચ્ચે પાટણનો સમય દેશના સામાન્ય સમય કરતાં 56 મિનિટ પાછળ રહે છે. જ્યારે 30 ઓક્ટોબરથી 10 નવેમ્બરની વચ્ચે 25 મિનિટ પાછળ રહે છે. આમ દેશના સમય કરતા વર્ષ દરમ્યાન પાટણનો સમય 40 મિનિટ પાછળ જોવા મળે છે. આ સનડાયલ સૂર્યના પ્રકાશ પર આધારિત છે અને પડછાયા પરથી સમય નક્કી થતો હોય છે. આ પ્રકારના સમયનો ઉપયોગ ખેડૂતો માટે પણ ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. ઋતુ મુજબ પાકની વાવણી, હવામાન તેમજ પાકની લણણી સમય પણ નક્કી કરી શકાય છે. જેના થકી ખેડૂતોને મોટો ફાયદો પણ થઇ શકે છે.

આ પ્રકારની સનડાયલ બનાવાની તકનીક દેશમાં બહુ ઓછા વ્યક્તિઓ જ જાણે છે. જેના માટે ખગોળશાસ્ત્રના ગણિતનું ઊંડાણ પૂર્વકનું જ્ઞાન હોવું જરૂરી છે. વર્ષ 2021 મે માસમાં મહારાષ્ટ્રના 70 વર્ષિય ડૉ. બી. આર. સીતારામ દ્વારા આ સનડાયલ બનાવવામાં આવી હતી

સનડાયલથી જેતે વિસ્તારનો સ્થાનિક સમય જાણી શકાય છે. સ્થાનિક સમય દિવસ-રાત સાથે મહિના અને ઋતુઓને સમજવા માટે જરૂરી છે. ઐતિહાસિક રીતે, સૂર્યની સ્થિતિના આધારે સમયને ટ્રેક કરવા અને કૃષિ પ્રવૃત્તિઓને સુનિશ્ચિત કરવાની વિશ્વસનીય રીત પ્રદાન કરીને સનડાયલ ખેડૂતોને મદદ કરે છે. તે દિવસભરનો સમય બતાવીને વાવેતર, સિંચાઈ અને લણણી માટે શ્રેષ્ઠ સમય નક્કી કરવામાં મદદ કરી શકે છે. આધુનિક સંદર્ભોમાં તેમની પાછળના સિદ્ધાંતો હજુ પણ સૂર્યપ્રકાશના સમય અને અવધિને સમજવામાં મદદ કરીને કૃષિ પદ્ધતિઓને માહિતગાર કરી શકે છે. જે પાકની વૃદ્ધિ માટે નિર્ણાયક છે. જે ખેડૂતો માટે ફાયદાકારક બની શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link