12 વર્ષ બાદ ગુરૂ બૃહસ્પતિ કરશે બુધની રાશિમાં પ્રવેશ, આ 3 જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો

Mon, 16 Sep 2024-3:36 pm,

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂ બૃહસ્પતિ આશરે 13 મહિના બાદ રાશિ પરિવર્તન કરે છે, તમને જણાવી દઈએ કે ગુરૂ અત્યારે વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે અને તે મે 2025 સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ તે મિથુન રાશિમાં ગોચર કરશે. જેના પર બુધનું આધિપત્ય છે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ કઈ છે. 

તમારા લોકો માટે ગુરૂ ગ્રહનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂનું ગોચર તમારી રાશિથી કર્મ ભાવ પર થવા જઈ રહ્યું છે. તેથી આ દરમિયાન તમને કામ-કારોબારમાં ખાસ પ્રગતિ મળી શકે છે. સાથે કરિયરમાં નવી તક મળશે. આ દરમિયાન તમારા બેન્ક બેલેન્સમાં વધારો થશે. તમારા સહકર્મીઓ પાસેથી તમને સારા સમાચાર મળશે. ઓફિસમાં તમારા વ્યવહારને કારણે બધા લોકો તમારી મદદ કરશે. આ મહિને નવું ઘર કે વાહન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે. સાથે વેપારીઓને કારોબારમાં લાભ મળી શકે છે. આ સમયે બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે.  

ગુરૂ ગ્રહનું રાશિ પરિવર્તન તમારા લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી ભાગ્ય સ્થાન પર ગોચર કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે તમને થોડી મહેનતથી સફળતા મળશે. આ મહિને તમારી જે યોજનાઓ ચાલી રહી હોય તે પૂર્મ થશે. આર્થિક રૂપથી કોઈ ચિંતા રહેશે નહીં. આ દરમિયાન તમે કામકાજ સંબંધી યાત્રા કરી શકો છો. આ સમયે તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.   

તમારા લોકો માટે ગુરૂ ગ્રહનું ગોચર ફળયાદી રહી શકે છે. કારણ કે ગુરૂ ગોચર તમારી કુંડળીના ધન અને વાણી સ્થાન પર સંચરણ કરવાના છે. તેથી આ દરમિયાન તમને સમય-સમય પર આકસ્મિક ધનલાબ થશે. સાથે ઘરમાં સુખ-સુવિધાઓનો આનંદ લેશો. આ મહિને આર્થિક સમસ્યાઓનું સ્થાયી સમાધાન મળી જશે. વેપારીઓને આ સમયે અપાર ધનલાભ થઈ શકે છે. સાથે આ સમયે તમારી વાણીમાં પ્રભાવ વધશે, જેનાથી ઘમા લોકો પ્રભાવિત થશે. તમારી ઈચ્છાઓ પણ પૂરી થશે. આ સમયે તમે વિચારેલી યોજનાઓ સફળ થઈ શકે છે.

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link