IAS-IFS Love Story: પતિ SDM અને પતિ છે IFS ઓફિસર, આવી રીતે શરૂ થઇ બંનેની લવ સ્ટોરી

Sat, 30 Sep 2023-9:55 am,

જ્યારે ઘરના બાળકો મોટા થાય છે ત્યારે તેઓ પણ જાતે જ નિર્ણય લેવાનું શરૂ કરી દે છે અને જ્યારે તેઓ ઓફિસર બને છે ત્યારે નિર્ણયો લેવા જરૂરી બની જાય છે. આજે અમે તમને એક એવા ઓફિસર કપલની લવ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ જેમની લવ સ્ટોરી લગ્ન સુધી પહોંચી અને બંનેએ લગ્ન કરી લીધા. અમે વાત કરી રહ્યા છીએ IAS ઓફિસર અનમોલ સાગર અને તેમની પત્ની IFS ઓફિસર કનિષ્કા સિંહ વિશે.

જ્યારે અનમોલે યુપીએસસીની પરીક્ષા પાસ કરી ત્યારે તેને મહારાષ્ટ્ર કેડર મળી હતી. જ્યારે તેમની પત્ની IFS કનિષ્કા સિંહે UPSC પરીક્ષા પાસ કરી ત્યારે તેમને IFSમાં તક મળી. કનિષ્કા સિંહ તુર્કમેનિસ્તાનની રાજધાની અશગાબાતની એમ્બેસીમાં છે. કનિષ્કાને ત્યાં 2 જવાબદારીઓ મળી છે. કનિષ્કા સેકન્ડ સેક્રેટરી તેમજ હેડ ઓફ ચાન્સરીનું પણ કામ સંભાળે છે.

યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ અનમોલ અને કનિષ્કા સાથે ટ્રેનિંગ લીધી હતી. બંનેને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA), મસૂરી ખાતે ટ્રેનિંગ આપવામાં આવી હતી. બંનેની ટ્રેનિંગ દરમિયાન મિત્રતા થઈ અને પછી તે ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ અને પછી બંનેએ લગ્ન કરી લીધા.

અનમોલ સાગર મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના દેવરીમાં એસડીએમ તરીકે તૈનાત છે. અનમોલ સાગરે ડીયુની કિરોરી માલ કોલેજમાંથી બીએ ઓનર્સનો અભ્યાસ કર્યો છે. તેમનો વિષય ભૂગોળ હતો. કોલેજ દરમિયાન જ તેણે આઈએએસ બનવાનું સપનું જોયું હતું. અનમોલે 22 વર્ષની ઉંમરે 2017માં પહેલીવાર યુપીએસસીની પરીક્ષા આપી હતી, પરંતુ તે વખતે તે અસફળ રહ્યો હતો.  

અનમોલની પત્ની કનિષ્કા સિંહે બીજા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી હતી. કનિષ્કાનો ઓપ્શનલ વિષય મનોવિજ્ઞાન હતો. કનિષ્કા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગ ઘણી સારી છે.

કનિષ્કા  કહે છે કે વ્યક્તિએ ભૂલોનું પુનરાવર્તન ટાળવું જોઈએ અને જ્યારે તૈયારી પૂર્ણ થઈ જાય, ત્યારે વ્યક્તિએ શક્ય તેટલું પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. UPSC ની તૈયારી કરનારાઓને અનમોલની ટીપ છે કે દરેક સ્થિતિમાં તેમની વિચારસરણી સકારાત્મક રાખો અને પૂરા દિલથી અભ્યાસ કરો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link