Cricketers Who Marry 2 Times: આ 5 ભારતીય ક્રિકેટરોએ બે વખત કર્યા લગ્ન, લિસ્ટમાં ચોંકાવનારા નામ પણ સામેલ

Tue, 26 Apr 2022-10:26 pm,

મોહમ્મદ અઝહરુદ્દીને એક ખતરનાક બેટર હતા. અઝરુદ્દીને 1987માં નૌરીન સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 1996માં બંનેના છુટાછેડા થઈ ગયા હતા. અઝહરે અભિનેત્રી સંગીતા બિજલાની સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ 2010માં બંનેના છુટાછેડા થઈ ગયા હતા. 

 

 

યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે બે વખત લગ્ન કર્યા છે. તેની પ્રથમ પત્ની શબનમ સિંહ છે, જે યુવરાજની માતા છે. ત્યારબાદ તેમણે સતવીર કૌર સાથે લગ્ન કરી લીધા હતા. 

 

 

જવાગલ શ્રીનાથે બે લગ્ન કર્યાં છે. તેના પ્રથમ લગ્ન વર્ષ 1999માં જ્યોત્સના સાથે થયા હતા, પરંતુ બાદમાં બંનેએ છુટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ શ્રીનાથે વર્ષ 2008માં પત્રકાર માધવી પત્રાવલી સાથે બીજા લગ્ન કર્યાં હતા. 

 

 

ભારતના પૂર્વ ઓપનર અરૂણ લાલ 66 વર્ષની ઉંમરમાં બુલબુલ સાહા સાથે લગ્ન કરવાના છે. બુલબુલ 38 વર્ષની છે. આ પહેલા અરૂણ લાલે રીના સાથે લગ્ન કર્યા હતા.

 

 

સ્ટાર વિકેટકીપર/બેટર દિનેશ કાર્તિકે બાળપણની મિત્ર નિકિતા વણઝારા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ નિકિતાએ ટીમ ઈન્ડિયાના બેટર મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા. વર્ષ 2015માં કાર્તિકે સ્ક્વૈશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે બીજા લગ્ન કર્યાં. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link