Nainital Photos: ભારતનું એવું સ્થળ જ્યાંની પહાડીઓનો નજારો છે સ્વર્ગ સમાન, જુઓ તસવીરો

Thu, 04 Apr 2024-8:23 am,

નૈનિતાલ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું છે. નૈનિતાલએ જિલ્લા નું મુખ્ય મથક છે.

 

આ સ્થળ બાહ્ય હિમાલયની કુમાંઉ પર્વતમાળામાં સમુદ્ર સપાટીથી ૧૯૩૮મી ઊંચાઈએ આવેલ છે. નૌનિતાલ એ પર્વતની ખીણના ઢોળાવ પર પેરના આકારના તળાવની આસપાસ વસેલું છે.આ તળાવનો પરિઘ ૨ માઈલ જેટલો છે.  

નૈના દેવી મંદિર નૈનીતાલનું વિખ્યાત ધાર્મિક સ્થળ છે. આ મંદિર દેવી નૈનાને સમર્પિત છે, જેને નૈનીતાલ તળાવની દેવી માનવામાં આવે છે.

 

નૈનીતાલ રોપવે એ એક રોમાંચક અનુભવ છે જે તમને નૈનીતાલ શહેર અને આસપાસના પર્વતોનું મનમોહક નજારો જોવાનો અવસર આપે છે.  

નૈનીતાલનું સૌથી પ્રખ્યાત સ્થળ નૈનીતાલ તળાવ છે. આ તળાવ તેની પ્રાકૃતિક સુંદરતા અને નૌકાવિહાર માટે પ્રખ્યાત છે. તળાવ કિનારે ઘણી હોટલ-રેસ્ટોરાં અને દુકાનો પણ આવેલી છે. અહીં આવતા સહેલાણીઓને લીધે તેમને સારી એવી કમાણી પણ થઈ જાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link