Ganesh Chaturthi 2024: ગણેશજીને પ્રિય છે આ 3 રાશિઓ, આ ગણેશ ચતુર્થી પર થશે વિશેષ કૃપા, સમ્માન અને ધનમાં થશે વધારો

Mon, 02 Sep 2024-12:10 pm,

પંચાંગ અનુસાર આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર અને શનિવારે ઉજવાશે. ગણેશ ચતુર્થીની પૂર્ણાહુતિ એટલે કે ગણેશ વિસર્જન અનંત ચતુર્દશી એટલે કે 17 સપ્ટેમ્બરે થશે. આ વર્ષનો ગણેશોત્સવ બારમાંથી ત્રણ રાશિ માટે લાભકારી રહેશે. આ ત્રણ રાશિ ભગવાન ગણેશની પ્રિય રાશિ છે અને તેમને આ વર્ષે પૂજા કરવાથી મનવાંચિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે. 

મિથુન રાશિના સ્વામી ગણેશના દેવતા બુધ ગ્રહ છે. આ કારણે મિથુન રાશિ પર ભગવાન ગણેશની વિશેષ કૃપા હંમેશા રહે છે. ગણેશ ચતુર્થીના દિવસે જો મિથુન રાશિના લોકો ભગવાનની વિધિપૂર્વક પૂજા કરે છે તો તેમને જીવનમાં અપાર સફળતા મળે છે. સાથે જ શારીરિક અને માનસિક સમસ્યાઓથી છુટકારો પણ મળે છે. 

કર્ક રાશિ પર પણ ચંદ્રદેવ અને ગણેશજીની કૃપા હંમેશા રહે છે. કર્ક રાશીના લોકો જો નિયમિત રીતે ગણેશજીની ઉપાસના કરે તો તેમના જીવનમાં સકારાત્મક ફેરફાર આવે છે. આ ગણેશ ચતુર્થી કર્ક રાશિના લોકો માટે પણ ખાસ બની રહેશે. આ સમય દરમિયાન તેમને લાભ મળવાની સૌથી વધારે સંભાવના છે. 

કન્યા રાશિના સ્વામી ભગવાન ગણેશના દેવતા બુધ ગ્રહ છે. ગણેશ ચતુર્થી પર કન્યા રાશિના લોકો ગણેશજીની પૂજા કરીને વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકે છે. આ દિવસે સાચા મનથી ગણેશજીની પૂજા કરવાથી મનની ઈચ્છા પૂરી થઈ શકે છે. આ વર્ષની ગણેશ ચતુર્થી કન્યા રાશિના લોકોના જીવનમાં સુખ-શાંતિ અને ધન-ધાન્ય વધારનાર સાબિત થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link