Makar Sankranti 2024: આ વસ્તુઓના દાન વિના મકર સંક્રાંતિ રહે છે અધુરી, શનિ અને સૂર્ય દોષથી મળશે મુક્તિ

Fri, 05 Jan 2024-2:57 pm,

મકરસંક્રાંતિ પર ગંગા સ્નાન, પૂજા-પાઠ અને અન્ય પુણ્યોનું ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. દાન કર્યા વિના મકરસંક્રાંતિ અધૂરી રહે છે. 

ગ્રહોના રાજા સૂર્ય આ દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ હોય છે તેથી આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. 

મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળ ખાવા જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે તેનું દાન કરવું. કાળા તલનો સંબંધ શનિ સાથે છે અને ગોળનો સંબંધ સૂર્ય સાથે છે. સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ દિવસે તલ અને ગોળ બંનેનું દાન કરવું જોઈએ જેથી સૂર્ય અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત થાય.

આ જ રીતે મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવાનું પણ મહત્વ છે. ખાસ કરીને કાળા અડદની દાળની ખીચડી જે ઘી, હળદર અને લીલા શાકભાજી સાથે બની હોય. ખીચડીનું દાન કરવાથી સૂર્ય, ગુરુ, શનિ બુધ ગ્રહનું શુભ ફળ મળે છે. 

મકરસંક્રાંતિના દિવસે ગરમ કપડાનું દાન કરવું પણ શુભ ગણાય છે. આ દિવસે કાળા અડદ, જુતા ચપ્પલ, ધન વગેરેનું દાન કરવું પણ લાભ કરે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link