મિથુન રાશિમાં બન્યો પાવરફુલ `મહાલક્ષ્મી યોગ`, આ જાતકો ખુબ કમાશે પૈસા અને પ્રતિષ્ઠા, માતા લક્ષ્મીની રહેશે કૃપા

Wed, 28 Aug 2024-3:25 pm,

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રને માતા, મન, મનોબળ, રચનાત્મકતા વગેરેનો કારક માનવામાં આવે છે. ચંદ્રમાં એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ઝડપી ગતિથી ચાલે છે. તે એક રાશિમાં આશરે અઢી દિવસ સુધી રહે છે. તેવામાં કોઈને કોઈ ગ્રહ સાથે તેની યુતિ થાય છે, જેનાથી ઘણા રાજયોગનું નિર્માણ થાય છે. તેવામાં જ્યારે ચંદ્ર અને મંગળ બંને ગ્રહ એક સાથે એક રાશિમાં આવે છે તો મહાલક્ષ્મી યોગ બને છે. આ યોગને ખુબ શુભ માનવામાં આવે છે. આ યોગ બનવાથી કેટલાક જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે. આ સાથે ધન, સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થાય છે. આવો જાણીએ મિથુન રાશિમાં ચંદ્રમા અને મંગળની યુતિ બનવાથી કયાં જાતકોને લાભ થવાનો છે.

પંચાગ અનુસાર ચંદ્રમા 27 ઓગસ્ટે સવારે 3 કલાક 41 મિનિટે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 30 ઓગસ્ટે સવારે 11 કલાક 34 મિનિટ પર ચંદ્રમા મિથુન રાશિમાંથી નિકળી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં પહેલાથી મંગળ ગ્રહ બિરાજમાન છે. તેવામાં મહાલક્ષ્મી યોગ 30 ઓગસ્ટ સુધી રહેશે.

આ રાશિમાં મહાલક્ષ્મી યોગ દશમ ભાવમાં બન્યો છે. તેવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. ધન લાભની સાથે કરિયરમાં વૃદ્ધિ જોવા મળશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. આ સાથે કોઈને કોઈ પ્રકારથી લાભ મળશે. વાહન, સંપત્તિ ખરીદવાનું સપનું પૂરુ થશે. ઘણા સમય પહેલા કરવામાં આવેલા રોકાણથી લાભ થઈ શકે છે. સાથે નોકરી કરનાર જાતકો માટે આ સમય સારો રહેશે. તમારૂ મન કામમાં લાગશે. નવો વેપાર શરૂ કરવા માટે આ સમય સારો છે. તમને સારો નફો થઈ શકે છે. મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. આ સાથે જીવનમાં ખુશીઓ આવી શકે છે.  

કુંભ રાશિના જાતકો માટે મહાલક્ષ્મી યોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોના લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. આ સાથે સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થશે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. માતા લક્ષ્મીની કૃપાથી તમને ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. તમને નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં ખુબ લાભ મળી શકે છે. વિદેશથી સારો નફો મળી શકે છે. જો તમારો વિદેશમાં વેપાર છે તો તમને જોરદાર લાભ થવાનો છે. આર્થિક સ્થિતિ સારી થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. લગ્ન જીવનમાં ખુશીઓ રહેશે.   

આ રાશિના જાતકો માટે મહાલક્ષ્મી યોગ લાભકારી સાબિત થઈ શકે છે. તમને ઘણા માધ્યમોથી ધનલાભ થઈ શકે છે. ધર્મ-કર્મના મામલામાં સફળતા હાસિલ થઈ શકે છે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યાં છે, તેને સારા સમાચાર મળી શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી કમાણીના નવા માર્ગ ખુલશે. આ રાશિના જાતકોના પોતાના અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે. તેવામાં તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે. લગ્ન જીવન ખુશ રહેશે. પાર્ટનર એકબીજા સાથે સમય પસાર કરી શકે છે.   

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link