શિવલિંગ પર ભૂલેચૂકે આ 5 વસ્તુઓ અર્પણ ન કરતા, હાથે કરીને બરબાદી નોતરશો

Sat, 16 Dec 2023-9:24 am,

શિવલિંગ પર ભૂલેચૂકે હળદર ચડાવવી જોઈએ નહીં. હળદર સ્ત્રી સંલગ્ન ગણાય છે. આવું એટલા માટે પણ છે કારણ કે શિવને પુરુષતત્વનું પ્રતિક માનવામાં આવે છે. 

ક્યારેય શિવજીની પૂજા કરતી વખતે તુલસીના પાન અર્પણ કરવા જોઈએ નહીં. શિવલિંગ પર તુલસીના પાંદડા ચડાવવા એ અશુભ ગણાય છે.

શિવજીને ક્યારેક કંકુ ચડાવવું જોઈએ નહીં. ભગવાન શિવના માથે ભસ્મ  લગાવવામાં આવે છે. શિવ પુરાણમાં આ ચીજોની મનાઈ છે. 

તૂટેલા ચોખા પણ શિવલિંગ પર ચડાવવા જોઈએ નહીં. કારણ કે તે અશુભ ગણાય છે. આવા ચોખા ચડાવવાથી ભગવાન શિવ નારાજ થાય છે. 

ભગવાન શિવની પૂજા કરતી વખતે શિવલિંગ પર લાલ ફૂલ ક્યારેય ચડાવવા જોઈએ નહીં. કરણ અને કમળ પણ ક્યારેય ચડાવવા ન જોઈએ. ભોલેનાથને સફેદ ફૂલ ચડાવી શકાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link