અભિષેક બચ્ચન સાથે ડેટિંગની અફવાઓ...લગ્ન વિશે શું વિચારે છે આ અભિનેત્રી? ખાસ જાણો

Tue, 22 Oct 2024-9:20 am,

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જ્યારે પરિણીત કપલના ડિવોર્સ અને કોઈની સાથે અફેર્સની વાતોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હોય. આવું જ કઈક અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે પણ જોવા મળી ર હ્યું છે. જે ઘણા સમયથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. આ બધા વચ્ચે અભિષેકનું નામ ઈન્ડસ્ટ્રીની એક અભિનેત્રી સાથે જોડાઈ રહ્યું છે. જેના કારણે જૂનિયર બચ્ચન અને અભિનેત્રી ટ્રોલિંગનો સામનો કરી રહ્યા છે. 

અમે અહીં 42 વર્ષની બોલીવુડ અભિનેત્રી નિમ્રત કૌર વિશે વાત કરીએ છીએ જેણે ખુબ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. નિમ્રતે 19 વર્ષ પહેલા 2005માં આવેલી ફિલ્મ 'યહા'થી પોતાની કરિયર શરૂ કરી હતી. આ ફિલ્મ બાદ તેણે અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું. પરંતુ તેને અસલ ઓળખ તો 8 વર્ષ બાદ આવેલી ઈરફાન ખાન સાથેની ફિલ્મ 'ધ લંચબોક્સ'થી મળી. આ ફિલ્મ દુનિયાભરમાં વખણાઈ. જો કે હાલમાં તો આ અભિનેત્રીનું નામ અભિષેક બચ્ચન સાથે જોડાતા ચર્ચામાં છે. 

નિમ્રત કૌર હંમેશા પોતાના ખાસ અંદાજથી કામ કરવા માટે જાણીતી છે. તેણે બોલીવુડથી લઈને અનેક ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. તેણે ધ લંચબોક્સ ઉપરાંત એરલિફ્ટ, દસવી, અને સજની શિંદે કા વાયરલ વીડિયો જેવી હિટ ફિલ્મો કરી છે. હવે તેનું નામ અભિષેક બચ્ચન સાથે જોડાઈ રહ્યું છે. આ બધા વચ્ચે તેનો એક જૂનો ઈન્ટરવ્યુ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે લગ્નને લઈને પોતાના વ્યૂઝ વિશે વાત કરી રહી છે. આ ઈન્ટરવ્યુ 2016નો છે. 

નિમ્રત કૌરે 2016માં ઈન્ડિયાટાઈમ્સ ડોટ કોમ સાથે વાતચીતમાં લગ્ન વિશે વિચારો શેર કર્યા હતા. આ તેના માટે એક યુનિક વાત હતી, કારણ કે સામાન્ય રીતે તે પોતાની પર્સનલ લાઈફ વિશે વધુ વાતો શેર કરતી નથી. જ્યારે નિમ્રતને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, મને પૂછવામાં આવ્યું કે હું  લગ્ન કેમ નથી કરતી? બસ એટલા માટે કારણ કે મારા હજુ લગ્ન થયા નથી. મે જવાબ આપ્યો કે મને ખબર નથી પડતી કે તમે આવું કેમ વિચારો છો. આ વાત એ વાત સાથે નથી સંકળાયેલી કે હું કઈ કરવા નથી માંગતી. 

તેણે વધુમાં કહ્યું કે 'લગ્ન એક એવો નિર્ણય છે જે ભાગ્ય પર નિર્ભર કરે છે અને તે ત્યારે થાય છે જ્યારે તમે યોગ્ય વ્યક્તિને મળો છો. મને નથી લાગતું કે આ ચીજ પહેલેથી નક્કી થઈ શકે છે.' નિમ્રત કૌર હાલમાં જ રાધિકા મદન અને ભાગ્યશ્રી સાથે 'સજની શિંદે કા વાયરલ વીડિયો'માં જોવા મળી હતી. પોતાના પાત્રોને લઈને તે ખુબ સતર્ક રહે છે. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તેના પ્રોજેક્ટ્સની ટાઈમ લિમિટ હંનેશા તેના હાથમાં હોતી નથી. ખાસ કરીને જ્યારે તે ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ પર કામ કરતી હોય છે. 

નિમ્રત કૌરે અભિષેક બચ્ચન સાથે 'દસવી' ફિલ્મ કરી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે આ ફિલ્મ દરમિયાન બંને વચ્ચે નીકટતા વધી હતી. જો કે બંનેએ હજુ સુધી આ રિપોર્ટ્સ અંગે કોઈ રિએક્શન આપ્યું નથી. 'દસવી' બાદ નિમ્રત કૌર 'સજની શિંદે કા વાયરલ વીડિયો'માં જોવા મળી હતી. ત્યારબાદ તે પોતાના નવા પ્રોજેક્ટ 'સેક્શન 84'ની તૈયારી કરે છે. આ એક કોર્ટરૂમ ડ્રામા છે જેમાં મહાનાયક અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. તેનું દિગ્દર્શન રિભુ દાસગુપ્તા કરી રહ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link