PHOTOS: દેશના સૌથી વધુ ડરામણા 6 સ્થળો, સૂર્યાસ્ત બાદ ભયનું સામ્રાજ્ય, ગુજરાતનો આ બીચ છે હોન્ટેડ

Sat, 12 Jan 2019-7:00 am,

ડુમ્મસ બીચ ગુજરાતના અનેક આકર્ષક બીચમાં સામેલ છે. પરંતુ તે પોતાની ડરામણી કહાનીઓને લઈને પણ મશહૂર છે. કહેવાય છે કે આ બીચ પર હિંદુ ધર્મના લોકોના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતાં. અહીં અનેકવાર અસામાન્ય ગતિવિધિઓ જોવા મળી છે. લોકોએ અનેકવાર અહીં ચિત્રવિચિત્ર અવાજો સાંભળ્યા છે. આખો વિસ્તાર મૃત  લોકોની આત્માઓથી બંધાયેલો હોય તેવો લાગે છે. લોકોનું કહેવું છે કે રાતના સમયે બીચ પર ચાલતા ચાલતા  અને વાત કરતા અનેક પ્રવાસીઓ ગાયબ થઈ જાય છે. 

ભાનગઢ કિલ્લા રાજસ્થાન,  અજાણતા જ માધો સિંહના પૌત્ર અજબ સિંહે મહેલની ઊંચાઈને એટલી વધારી દીધી કે તેના પ્રતિબિંબે અનેક એવી જગ્યાઓને ઢાંકી દીધી જ્યાં જવાની મનાઈ છે. તેનાથી આખો ભાનગઢ વિસ્તાર તબાહીનો શિકાર થઈ ગયો. સ્થાનિક ગ્રામિણોનું કહેવું છે કે જ્યારે પણ કોઈએ પણ ત્યાં મકાન બનાવવાનો પ્રયત્ન કર્યો તેની છત તૂટી ગઈ. લોકોનું કહેવું છે કે અંધારુ થયા બાદ ત્યાં જે પણ ગયું તે પાછા ફર્યા નથી. આક્રિયોલોજિકલ સર્વે ઓફ  ઈન્ડિયાએ ત્યાં એક સાઈન બોર્ડ લગાવ્યું છે. લખ્યું છે કે સૂર્યાસ્ત બાદ ત્યાં રોકાવવાની મનાઈ છે. 

દિલ્હીનો આ વિસ્તાર પણ  દેશની ભયાનક જગ્યાઓમાંથી એક છે. ચારે બાજુ હરિયાળી અને ઝાડથી ઘેરાયેલા આ વિસ્તારમાં અનેકવાર લોકોએ એક સફેદ સાડી પહેરેલી મહિલાને લિફ્ટ માંગતી જોઈ છે. લોકોના જણાવ્યાં મુજબ જો તેણે લિફ્ટ માંગી અને તમે ન રોકાયા તો તે તમારી ગાડીની સ્પિડથી જ તમારી તરફ દોડે છે. માનો કે ન માનો પણ અનેક લોકોનું માનવું છે કે દોડીને તે ગાડી આગળ ઉભી રહી જાય છે. કેટલાક લોકોનું કહેવું છે કે તે મહિલા જ્યારે જીવતી હતી ત્યારે કોઈની સાથે જતી હશે અને ત્યારે ત્યારથી તે દરેક એકલા જતા વ્યક્તિને રોકવાની કોશિશ કરે છે. 

આમ તો દાર્જિલિંગ પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે ખુબ જાણીતું છે. પરંતુ તેની આ ડાઓ હિલ દેશની હોન્ટેડ જગ્યાઓમાં પણ સામેલ છે. આ જ કારણે અહીં રાતના સમયે રોકાવવાી અને જવાની મનાઈ છે. 

શનિવારવાડા મહારાષ્ટ્રના સૌથી ખુબસુરત કિલ્લાઓમાંથી એક છે. પરંતુ તેના વિશે કહેવાય છે કે તે દેશની સૌથી ડરામણી જગ્યાઓમાંથી એક છે. કારણ કે રાતે ત્યાં ભૂતોનો વાસ રહે છે. આ જ કારણ છે કે રાતના સમયે  ત્યાં પર્યટકોને અંદર જવાની મનાઈ છે. જો કે દિવસના સમયે અહીં પર્યટકો આવી શકે છે પરંતુ રાતે કિલ્લામાં કોઈ જઈ શકે નહીં. 

હૈદરાબાદની ખૈરતાબાદ સાયન્સ કોલેજ પણ દેશની સૌથી ડરામણી જગ્યાઓમાંથી એક છે. આ કોલેજ હવે ખંડેર બની ગઈ છે. અહીં હવે ભૂતોનો વાસ છે એમ કહે છે. બહારથી જોઈએ તો કોઈ ભૂતિયા મહેલ જેવો લાગે. આ જ કારણે પર્યટકોને રાતના સમયે અંદર જવાની સ્પષ્ટ ના છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link