રાહુ બન્યો બળશાળી, રંકમાંથી રાજા બની જશે આ જાતકો, 2025 સુધી નોકરી-ધંધામાં મળશે લાભ, ધનલાભ પણ થશે

Thu, 17 Oct 2024-6:03 pm,

પાપી અને છાયા ગ્રહ રાહુ આશરે 18 મહિના સુધી એક રાશિમાં બિરાજમાન રહે છે. તેવામાં રાહુના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં જરૂર પડે છે. મહત્વનું છે કે આ સમયે રાહુ ગુરૂની રાશિ મીનમાં બિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે રાહુને કલયુગનો રાજા માનવામાં આવે છે, તેવામાં તે કોઈ પણ રાશિને રંકથી રાજા બનાવી શકે છે. રાહુની સ્થિતિ જો તમારી કુંડળીમાં સારી છે તો તમે આર્થિક, શારીરિક, માનસિક સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. મહત્વનું છે કે રાહુએ 30 ઓક્ટોબર 2023 ના મીન રાશિમાં વક્રી અવસ્થામાં ગોચર કર્યું હતું અને તે વર્ષ 2025ના મે મહિના સુધી ત્યાં રહેશે. આ સાથે રાહુ સમય સમય પર નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. મહત્વનું છે કે આ સમયે રાહુ ઉત્તરા ભાદ્રપદના તૃતીય પદમાં ગોચર કરી રહ્યાં છે. શનિના નક્ષત્રમાં આવી રાહુ અત્યંત બળવાન બની જાય છે. રાહુ અને શનિ વચ્ચે મિત્રતાનો ભાવ હોવાને કારણે રાહુ ઘણી રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે. આવો જાણીએ રાહુના મહાબલી થવાથી કયા જાતકોને લાભ મળશે.  

આ રાશિના અગિયારમાં ભાવમાં રાહુ બિરાજમાન છે. રાહુની સાથે શનિનો પણ તમને સારો લાભ મળી શકે છે. રાહુના મહાબલી થવાથી આ રાશિના જાતકોને અપાર ધન-સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. રાહુ માટે અગિયારમો ભાવ સૌથી લાભકારી સિદ્ધ થઈ શકે છે. શેર માર્કેટ, લોટરી, સટ્ટાબાજી દ્વારા તમને ધનલાભ થઈ શકે છે. વર્ષ 2025 સુધી આ જાતકોને ખુબ ધનલાભ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ થશે. રાહુનો સપોર્ટ મળવાથી ભાગ્યનો પણ સાથ તમને મળશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. સમાજમાં માન-સન્માનમાં વધારો થઈ શકે છે. જીવનમાં ખુશીઓ આવી શકે છે. કરિયર અને બિઝનેસમાં પણ સારો નફો થઈ શકે છે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.

મિથુન રાશિના જાતકો માટે પણ રાહુનું હોવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના દસમાં ભાવમાં રહી શનિના નક્ષત્રમાં રહેવાના છે. તેવામાં આ રાશિના જાતકોને સૂર્યની સમાન ફળ આપવાના છે. ખુબ પૈસા મળશે. અવિશ્વસનીય ધનલાભનો યોગ બની રહ્યો છે. ઘર, વાહન, સંપત્તિ ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે. બેન્કમાંથી તમને લોન મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યા સમાપ્ત થઈ શકે છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. રંકથી રાજા બનવામાં રાહુ તમારી મદદ કરશે. પ્રમોશન, પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે.

આ રાશિના રાહુ છઠ્ઠા ભાવમાં છે. આ રાશિના જાતકોને ખુબ લાભ મળવાનો છે. દેવામાંથી મુક્ત થઈ શકો છો. વેપારમાં તમારા વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરશો. શત્રુઓ પર વિજય મળશે. આ સાથે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો અંત આવી જશે. નોકરીમાં ખુબ લાભ મથવાનો છે. નવી નોકરી શોધી રહેલાં જાતકોને પણ લાભ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલાં જાતકોને લાભ મળી શકે છે. સરકારી નોકરી મળવાનો યોગ બની રહ્યો છે. પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. વિદેશ જવાની તક મળી શકે છે. વિદેશમાં નોકરીની તક મળી શકે છે. આધ્યાત્મ તરફ તમારો ઝુકાવ રહેશે.  

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link