Vastu Tips: ઘરની આ જગ્યા છે ક્રૂર ગ્રહોનું સ્થાન, તુલસીના છોડ સહિત આ વસ્તુઓ અહીં રાખવાથી વધે છે ગરીબી

Wed, 07 Feb 2024-4:05 pm,

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુને અશુભ ગ્રહ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ ઘરની એક દિશા વિશે કહેવાય છે કે ત્યાં રાહુ-કેતુનો વાસ હોય છે. તેથી આ દિશામાં કેટલીક વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, રાહુ-કેતુ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રહે છે. જેને ઉત્તર-પશ્ચિમ દિશા પણ કહેવાય છે. જો તમે આ દિશામાં કેટલીક વસ્તુઓ રાખો છો તો તમારે ભારે નુકસાન સહન કરવા તૈયાર રહેવું પડે છે.

વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં  તિજોરી કે પૈસા રાખવાનું સ્થાન ન રાખવું. જો તમે ભૂલથી પણ આ કરો છો તો તમારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સાથે આ દિશામાં કિંમતી વસ્તુઓ જેમ કે સોનું, ચાંદી કે ઝવેરાત વગેરે રાખવાનું ટાળવું જોઈએ.  

મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. મંદિર પણ રાહુ-કેતુની દિશામાં એટલે કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન રાખવું. આ દિશામાં મંદિર હોય તો વ્યક્તિને પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી.

તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જો ઘરમાં તુલસીનો છોડ રાહુ-કેતુની દિશામાં રાખવામાં આવે તો તિજોરી ખાલી થવામાં સમય લાગતો નથી.  

બાળકોનો સ્ટડી રુમ પણ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવાથી નુકસાન થઈ શકે છે. આ જગ્યાએ સ્ટડી રુમ હોય તો બાળકોનું મન અભ્યાસમાંથી વિચલિત થઈ જાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link