11 દિવસ બાદ રાહુ-કેતુનું ગોચર, આ રાશિના જાતકોનું ખુલી જશે ભાગ્યનું તાળું

Thu, 19 Oct 2023-3:30 pm,

મેષ રાશિના જાતકો માટે આ રાહુ-કેતુનું ગોચર ભાગ્યશાળી રહેશે. રાહ મેષ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે એટલે મેષ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે. તેના કરિયર અને વ્યાવસાયિક ઉપક્રમોમાં સકારાત્મક પરિવર્તન આવશે અને ભાગ્ય તેનો સાથ આપશે. તમારા અટવાયેલા કાર્યો પૂર્ણ થવા લાગશે. તમે આ દરમિયાન નવી સફળતા અને સિદ્ધિઓ હાસિલ કરશો.   

30 ઓક્ટોબર 2023ના કેતુના તુલા રાશિથી કન્યા રાશિમાં પ્રવેશ કરવા પર કન્યા રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડશે. આ રાહુ કેતુ ગોચર 2023 કન્યા રાશિના જાતકો માટે થોડો પડકાર લાવી શકે છે. આ સમય દરમિયાન તમારી નાણાકીય સમસ્યા ઉભી થઈ શકે છે અને સંબંધો તણાવપૂર્ણ થઈ શકે છે. કન્યા રાશિના જાતકોએ આ સંભવિત પડકારનો સામનો કરવા માટે સતર્ક અને સક્રિય રહેવું જરૂરી છે. 

તુલા રાશિના જાતકો રાહતનો શ્વાસ લઈ શકે છે કારણ કે 18 મહિના બાદ કેતુ તેની રાશિમાંથી નિકળી જશે. કેતુના કન્યા રાશિમાં પરિવર્તન કરવાથી તુલા રાશિના વ્યક્તિઓના જીવનમાં વિવિધ ક્ષેત્રે સફળતાનો અનુભવ થઈ શકે છે. રાહુ કેતુ ગોચર કરિયર અને વ્યક્તિગત પ્રયાસોમાં સફળતા અપાવી શકે છે. જે લોકો તણાવમાં છે તેનો તણાવ દૂર થઈ જશે. જેનાથી નવી આશા અને આશાવાદની ભાવના પેદા થશે.   

ધન રાશિના જાતક રાહુ અને કેતુ બંનેના ગોચરનો પ્રભાવ અનુભવ કરશે. પરંતુ આ રાહુ કેતુ ગોચર 2023 ટેકલાક પ્રયાસોને પડકારજનક બનાવી શકે છે, છતાં વિશિષ્ટ ક્ષેત્રમાં સફળતાની સંભાવના છે. ધન રાશિના જાતકોએ આ ગ્રહ ગોચર અનુરૂપ ઢળવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ અને વિધ્નો દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.  

જ્યારે રાહુ તેની રાશિમાં પ્રવેશ કરશે, મીન રાશિના લોકોએ ઉથલ-પાથલ ભરેલા સમય માટે તૈયાર રહેવું જોઈએ. રાહુ કેતુ ગોચર 2023 તેના અભ્યાસ અને શૈક્ષણિક કાર્યોમાં મુશ્કેલી લાવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓને ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે આ દરમિયાન મીન રાશિના જાતકોએ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સંભવિત નકારાત્મક પ્રભાવોને ઘટાડવા માટે સતર્ક રહેવું જોઈએ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link