Rahu Transit: 30 ઓક્ટોબરથી આ રાશિઓના બુલંદ થશે સિતારા, માયાવી ગ્રહ રાહુ બદલવા જઇ રહ્યો છે રાશિ

Fri, 15 Sep 2023-11:38 pm,

તુલા રાશિના લોકો માટે રાહુનું ગોચર શુભ રહેશે. તમને કાયદાકીય બાબતોમાં સફળતા મળશે અને અચાનક આર્થિક લાભ થવાની શક્યતાઓ છે. નોકરીમાં પ્રમોશનની સંભાવના રહેશે. નોકરીમાં બદલીના યોગ બનશે, જે ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે.

મીન રાશિના લોકો માટે રાહુનું ગોચર સાનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન તમને ક્યાંકથી અચાનક ધનલાભ થશે. કરિયર માટે આ સમય ઘણો સારો રહેવાનો છે.

કર્ક રાશિના જાતકોને રાહુના ગોચરથી નોંધપાત્ર લાભ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વિદેશ પ્રવાસની તકો બનશે અને આવકના સ્ત્રોત વધશે. રોકાણ માટે આ સમય સારો રહેશે. ઉદ્યોગપતિઓ માટે પણ સુવર્ણકાળ શરૂ થશે.

કન્યા રાશિના જાતકોને રાહુનું ગોચર શુભ ફળ આપશે. સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થતી જોવા મળશે. આ રાશિના લોકો માટે આ સમય સાનુકૂળ રહેવાનો છે, જેના કારણે દરેક કાર્ય પૂર્ણ થતા જોવા મળશે.

રાહુનું આ ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે ઉત્તમ રહેશે. આ રાશિના લોકોને ઓક્ટોબરના અંતથી ભાગ્યનો સાથ મળવા લાગશે. આ સમયગાળો આર્થિક રીતે ફળદાયી રહેશે. રોકાણથી સંપત્તિમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link