Raksha Bandhan 2024: રક્ષાબંધન પર 90 વર્ષ બાદ બનશે દુર્લભ શુભ સંયોગ, આ 4 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, ચમત્કારિક ફાયદા થશે

Wed, 14 Aug 2024-4:36 pm,

રક્ષા બંધન 19 ઓગસ્ટ 2024ના દિવસે છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધ યોગ,રવિ યોગ, શોભન યોગ, શશ રાજયોગની સાથે શ્રવણ નક્ષત્ર પણ હશે. 

શ્રવણ નક્ષત્રના સ્વામી ચંદ્રમા છે. ચંદ્રમાના સ્વામી શિવજી છે. ખાસ વાત એ છે કે આ દિવસે શિવને પ્રિય એવો સોમવાર પણ છે. આવામાં જાતકોને શિવ કૃપા પણ મળશે. આ શુભ સંયોગ 90 વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહ્યો છે. 

ધનુ રાશિવાળા માટે રક્ષાબંધન ખુશીઓ લઈને આવશે. ભૌતિક સુખમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સમયગાળામાં રોકાણ કરવું લાભકારી રહેશે. કામની પ્રશંસા થશે. આવકના સ્ત્રોત વધશે. 

મેષ રાશિના જાતકોને રક્ષાબંધનનો તહેવાર સુખ પ્રદાન કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ભાઈ બહેનને ભોળેનાથના આશીર્વાદ મળશે. નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. 

રક્ષાબંધન પર કન્યા રાશિવાળાને ધનલાભના યોગ છે. વેપારનો વિસ્તાર થશે. નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારી સફળતા મળશે. 

મીન રાશિના લોકો માટે રાક્ષાબંધન  ખુબ જ લકી સાબિત થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધોમાં સુધાર થશે. મહાદેવની કૃપાની સાથે સાથે લક્ષ્મીજીની પણ કૃપા વરસશે. કોઈ જૂના રોકાણ કે પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે. કમાણીનો દાયરો વધશે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link