આવનારા 7 દિવસમાં બે મોટા ગ્રહોની ચાલમાં ફેરફાર, આ 4 રાશિના લોકોને થશે બમ્પર લાભ, ધન-ધાન્યથી ભરાશે ભંડાર

Sun, 14 Jul 2024-2:23 pm,

જ્યોતિષમાં ગ્રહોના રાશિ અને નક્ષત્ર પરિવર્તનની ઘટનાને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. માન્યતા છે કે તેની જનમાનસ પર ઊંડી અસર પડે છે. 12 જુલાઈએ ગ્રહોના સેનાપતિ મંગળ વૃષભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ સપ્તાહે સૂર્ય અને બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. દૃક પંગાચ અનુસાર 16 જુલાઈ 2024ના મંગળવારે સવારે 11 કલાક 29 મિનિટ પર સૂર્યદેવ મિથુન રાશિમાં ગોચર કરશે. જ્યાં આ સમયે શુક્ર અને બુધ બિરાજમાન છે. જેનાથી શુક્રાદિત્ય અને બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. આશરે 3 દિવસ બાદ બુધ 19 જુલાઈએ રાત્રે 8.48 મિનિટ પર કર્ક રાશિમાંથી નિકળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય ગણનાઓ અનુસાર આ સપ્તાહે બે ગ્રહોના ગોચરથી કેટલાક જાતકોને જબરદસ્ત લાભ થશે. સૂર્ય અને બુધ ગ્રહનું ગોચર આ રાશિઓને ઘણી સરપ્રાઇઝ આપશે. આવો જાણીએ સૂર્ય અને બુધના રાશિ પરિવર્તનથી કયાં જાતકોને લાભ થશે.

મેષ રાસિના જાતકો માટે આ સપ્તાહ સુખ-સૌભાગ્ય લઈને આવશે. વાણીમાં મધુરતા આવશે. ગુણ-જ્ઞાનની પ્રાપ્તિ થશે. કરિયરમાં આવી રહેલી અડચણો દૂર થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. જીવનના પડકારોનો સામનો કરવામાં સક્ષમ થશો. કરિયરમાં મોટી સફળતા મળશે. સમાજમાં માન-સન્માન મળશે. લગ્ન જીવન ખુશ રહેશે. પરિવારજનોનો સપોર્ટ મળશે. અચાનક ધનલાભ થવાનો યોગ બનશે. 

સૂર્ય અને બુધનું ગોચર કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી સાબિત થશે. આ દરમિયાન પરિવારમાં ચાલતા વિવાદનો અંત આવશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. નોકરી કરનાર જાતકને પ્રમોશન મળી શકે છે. જીવનમાં ઘણા સકારાત્મક ફેરફાર થશે. અટવાયેલા પૈસા પરત મળશે. તમારા લક્ષ્યોને હાસિલ કરવામાં સફળ થશો. આ દરમિયાન તમારા સપના સાકાર થશે. મન પ્રસન્ન રહેશે. કરિયરમાં પ્રગતિની તક મળશે.  

સૂર્ય અને બુધનું રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે લાભકારી રહેશે. જૂના રોકાણથી સારૂ રિટર્ન મળશે. પ્રોફેશનલ લાઇફમાં દરેક કાર્યોમાં સારા પરિણામ મળશે. યાત્રાનો યોગ બનશે. ધનલાભની તક મળશે. લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓ દૂર થશે. તમારી મહેનત રંગ લાવશે. કરિયરમાં ખુબ પ્રગતિ કરશો. ઓફિસમાં બોસ તમારા કામની પ્રશંસા કરશે. વાણીમાં સૌમ્યતા આવશે. ધાર્મિક સ્થળ પર ફરવા જઈ શકો છો. 

સૂર્ય અને બુધના શુભ પ્રભાવથી ધન રાશિના જાતકોમાં ઘણા મોટા ફેરફાર જોવા મળશે. આસપી સંબંધ અને તાલમેલ સારો થશે. આવક વધશે. ઓફિસમાં અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર સકારાત્મક માહોલ રહેશે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન સંભવ છે. આ દરમિયાન તમે આધ્યાત્મિક બન્યા રહેશો. ધર્મ-કર્મના કાર્યોમાં ભાગ લેશો. તમારા લક્ષ્યોને હાસિલ કરવા માટે મોટિવેટેડ નજર આવશો. સંબંધો મજબૂત થશે. આર્થિક મામલામાં પણ ભાગ્યશાળી રહેશો.

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link