શ્રાવણમાં શશ રાજયોગથી આ 4 રાશિના જાતકોનને મળશે બમ્પર લાભ, નોકરી-ધંધામાં થશે પ્રગતિ, દરેક દુખ થશે દૂર

Tue, 16 Jul 2024-6:30 pm,

5 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થવાની છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને ભગવાન શિવની આરાધના કરવા માટે અત્યંત શુભ માનવામાં આવ્યો છે. આ ભોળેનાથનો પ્રિય મહિનો માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે શ્રાવણમાં શિવજીની વિધિવિધાનથી પૂજા કરવા અને સોમવારે વ્રત રાખવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. જ્યોતિષીય ગણનાઓ અનુસાર શ્રાવણ મહિનામાં શનિ દેવ કુંભ રાશિમાં રહી શશ રાજયોગનું નિર્માણ કરશે. નોંધનીય છે કે જ્યારે ચંદ્રમાથી પહેલા, ચોથા, સાતમાં અને દસમાં ઘરમાં શનિ પોતાની સ્વરાશિ (મકર, કુંભ) કે ઉચ્ચ રાશિ તુલામાં હોય છે. આવી સ્થિતિમાં શશ રાજયોગનું નિર્માણ થાય છે. કહેવામાં આવે છે કે કુંડળીમાં શશ રાજયોગ બનવાથી વ્યક્તિને મોટામાં મોટી બીમારીથી છૂટકારો મળે છે. જાતકને ગુણ-જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કરિયરમાં અપાર સફળતા મળે છે. આવો જાણીએ શશ રાજયોગથી કયાં જાતકોને લાભ થશે.

શ્રાવણમાં મિથુન રાશિના જાતકોને શશ રાજયોગથી જોરદાર લાભ થશે. દરેક કાર્યોમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાસિલ થશે. સમાજમાં તમારી પ્રશંસા થશે. આધ્યાત્મિક કાર્યોમાં તમારૂ રૂચિ વધશે. જીવનમાં દરેક દુખમાંથી છૂટકારો મળશે. ધન-સંપત્તિમાં વૃદ્ધિનો યોગ બનશે. કરિયરમાં આવી રહેલી મુશ્કેલી દૂર થશે.

શ્રાવણમાં શનિદેવના શશ રાજયોગના નિર્માણથી મકર રાશિના જાતકોના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફાર થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધન સાથે જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મળશે. કાયદાકીય મામલામાં તમે વિજયી થશો. નોકરી-કારોબારમાં વાતાવરણ અનુકૂળ રહેશે. સંપત્તિ સાથે જોડાયેલા વિવાદનો ઉકેલ આવશે. માનસિક સ્થિતિ સારી રહેશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. ધર્મ-કર્મના કામમાં ભાગ લેશો.

શનિદેવ પોતાની સ્વરાશિ કુંભ પર વિશેષ કૃપા વરસાવશે. આ દરમિયાન તમને તમારી મહેનતનું ફળ મળશે. કરિયરમાં પ્રગતિની તક મળશે. આવક વધારવાના નવા સ્ત્રોત બનશે. આર્થિક મુશ્કેલીથી છૂટકારો મળશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. ધન-સંપત્તિમાં વધારો થશે. પૈતૃક સંપત્તિથી લાભ મળશે. વેપારમાં ધનલાભ થશે. કરિયરમાં પ્રગતિ કરવાની તક મળશે. 

શ્રાવણમાં 27 દિવસ સુધી મીન રાશિના જાતકો પર શનિદેવની કૃપા થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. કરિયર સાથે જોડાયેલા શુભ સમાચાર મળશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂર્ણ થશે. વેપારમાં લાભ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. લગ્ન જીવનમાં ચાલતી સમસ્યાનો અંત આવશે. પારિવારિક જીવનમાં ખુશીનો માહોલ રહેશે.  

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link